મોતની બિલ્ડિંગ: ધરાશાયી 5 માળની બિલ્ડિંગ, Photoમાં જુઓ ત્યારબાદની સ્થિતિ

રાયગઢ જિલ્લાના મહાડ વિસ્તારમાં સોમવાર મોડી સાંજે એક પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. વર્તમાન જાણકારી અનુસાર 50-60 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, 18 લોકોની હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે.

રાયગઢ: મહારાષ્ટ્ર (Maharashtra)ના રાયગઢ જિલ્લાના મહાડ વિસ્તારમાં સોમવાર મોડી સાંજે એક પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. આ દુર્ઘટનામાં 70-80 લોકો કાટમાળમાં ફસાયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર એનડીઆરએફ (NDRF) અને ફાય બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી. વર્તમાન જાણકારી અનુસાર 50-60 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, 18 લોકોની હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. (તમામ તસવીરો સાભાર: અતુલ)

સોમવાર મોડી સાંજે સર્જાઇ દુર્ઘટના

1/6
image

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન એકમના મંત્રાલય રાજ્ય નિયંત્રણ કક્ષના એક અધિકારીએ જણાવ્યું કે મહાડ તાલુકોના કાજલપુરામાં તારક ગાર્ડન બિલ્ડિંગ સોમવાર મોડી સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ ધરાશાયી થઇ હતી.

લગભગ 40 ફ્લેટ હતા

2/6
image

અધિકારીએ જણાવ્યું કે, ઇમારતમાં લગભગ 40 ફ્લેટ હતા. તેમણે જણાવ્યું કે બચાવવામાં આવેલા લોકો મહાડના એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જગ્યા મુંબઇથી લગભગ 170 કિલોમીટર દુર છે.

માત્ર 10 વર્ષ જૂની બિલ્ડિંગ

3/6
image

બિલ્ડિંગ માત્ર 10 વર્ષ જૂની હતી. અત્યાર સુધીમાં 50-60 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન અત્યારે પણ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અને શિવસેના નેતા એકનાથ સિંદે સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે.

18 લોકો હજુ પણ ગુમ

4/6
image

18 લોકો હજુ પણ ગુમ છે. NRDFની 3 ટીમ રાહત કાર્ય કરી રહી છે. ગૃહ મંત્રી અમિત શાહે દુર્ઘટના પર NDRFના ડીઝી સાથે વાત કરી છે. જ્યારે કાટમાળમાંથી અત્યાર સુધીમાં 8 લોકોને બચાવવામાં આવ્યા છે.

બે લોકોના થયા છે મોત

5/6
image

જિલ્લા કલેક્ટર અનુસાર, 2 લોકોના મોત થયા છે. પાંચ માળની બિલ્ડિંગમાં 40 પરિવાર રહેતા હતા. ઘટનાના થોડા સમય પહેલા 20થી 25 પરિવારના લોકો બિલ્ડિંગ છોડી બહાર નીકળી ગયા હતા પરંતુ કેટલાક પરિવાર બિલ્ડિંગમાં રોકાયેલા હતા.

પથ્થર વાગવાથી ઇજાગ્રસ્ત શખ્સનું હાર્ટ એટેકથી મોત

6/6
image

ઇમારત ધરાશાયી દરમિયાન પથ્થર વાગવાથી ઘાયલ એક શખ્સનું સોમવાર મોડી રાત્રે હાર્ટ એટેક આવવાથી મોત થયું છે. વધુ એક વ્યક્તિના મોતની પુષ્ટી કરવામાં આવી છે.