ભાદરવી પૂનમનો મેળો : બાળકની માનતા પૂરી થતા ડીસાથી ભક્ત દંડવત પ્રણામ કરતા મા અંબાના ધામમાં પહોંચ્યા

Bhadaravi Poonam :   અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ... પ્રથમ દિવસે 2.25 લાખથી માઈ ભક્તોએ માતાજીના કર્યા દર્શન... ભક્તો દ્વારા પહેલા દિવસે માતાને 56.38 લાખની ભેટ ચઢાવાઈ... 
 

ભાદરવી પૂનમનો મેળો : બાળકની માનતા પૂરી થતા ડીસાથી ભક્ત દંડવત પ્રણામ કરતા મા અંબાના ધામમાં પહોંચ્યા

Ambaji Temple અલકેશ રાવ/બનાસકાંઠા :  અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે. મેળાના પ્રથમ દિવસે 2.25  લાખયાત્રીકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. અંબાજી મંદિરે પ્રથમ દિવસે મંદિરના શિખરે 100 જેટલી ધજાઓ ચઢી હતી. તો અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું દોઢ લાખ જેટલા પેકેટ વેચાણ થયુ. તો ચીકીના માત્ર 6 હજાર પેકેટનું વિતરણ થયું. અંબાજી મંદિરમાં મેળાના પ્રથમ દિવસે કુલ દાન ભેટની આવક  56.38  લાખની થઈ છે. 

ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતા દૂરદૂરથી ભક્તો માં અંબાના ધામમાં માંના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે ત્યારે દૂરદૂરથી પગપાળા અંબાજી આવ્યા બાદ અનેક ભક્તો પોતાની માનેલી મનોકામના પુરી થતાં અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રમાણ કરતા પહોંચી રહ્યા છે દિવસો ચાલ્યા બાદ પણ અંબાજી મંદિરમાં સુતસુતા દંડવત પ્રમાણ કરીને આવતા ભક્તોને કોઈપણ પ્રકારનો થાક લાગતો નથી..અને તેવો પોતાની મનોકામના પૂર્ણ થતાં માતાજીના ચરણોમાં દંડવત પ્રમાણ કરીને પહોંચીને માતાજીની આરાધના કરી તેમના તમામ દુઃખો હરિ લેવા પ્રાર્થના કરી રહ્યા છે.

પોતાની માનતાઓ પુરી થતા અનેક ભક્તો દંડવત પ્રમાણ કરતા માતાના ધામમાં પહોંચી રહ્યા છે. મા અંબાના ભક્ત દિલીપ માળીએ જણાવ્યું કે, હું ડીસાથી આવું છું..મારે બાળક ન હતું તેની માનતા માની હતી તે પૂર્ણ થતાં હું દંડવત રીતે માતાજીના ધામમાં પહોંચ્યા છું. તો અન્ય ભક્ત કમુબેન ડાંગીએ કહ્યું કે, હું અમદાવાદથી આવું છું મારી માનતા પૂર્ણ થતાં હું દંડવત કરતી અહીં પહોંચી છું.

સુરતના ઓલપાડથી 13 દિવસ પગપાળા યાત્રા કરીને 50 લોકોનો સંઘ માં અંબાના ધામમાં આવી પહોંચ્યો છે વરસાદ માં પણ આ સંઘના ભક્તો સતત ચાલતા રહ્યા અને 13 દિવસ બાદ માં અંબાના ધામ આવીને માતાજીના દર્શન કરીને ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી..13 ગજની ધજા લઈને આવેલા ભક્તો માતાજીને ધજા અર્પણ કરશે..ભક્તોનું કહેવું છે અમે સતત 13 દિવસ ચાલીને માંના ધામમાં પહોંચીને દર્શન કર્યા છે જેથી અમારો તમામ થાક ઉતરી ગયો છે અમે છેલ્લા 3 વર્ષથી 50 લોકોનો સંઘ લઈને આવીએ છીએ અમને ખુબજ મજા આવે છે માતાજી તમામ ભક્તો ઉપર પોતાની કૃપા બનાવી રાખે..જોકે સંઘમાં 70 વર્ષની ઉંમરના લોકો પણ જોડાઈને 13 દિવસ ચાલીને અંબાજી પહોંચ્યા છે.

મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલશે
આજથી શરૂ થયેલો મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આ વર્ષના મેળામાં 35 થી 40 લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના છે. આજથી બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી અંબાજી મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્યું છે. યાત્રાળુઓ માટે ખાસ વોટર પ્રૂફ વિસામા બનાવવામાં આવ્યો છે. તો વિકલાંગ, સિનિયર સિટીઝન માટે રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે 8 કરોડ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવ્યું છે. અંબાજી ધામને રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવ્યું છે. ભક્તોની સુરક્ષા માટે 6500 પોલીસ કર્મચારીઓ મેળામાં તૈનાત કરાયા છે. આમ, લોખંડી બંદોબસ્ત વચ્ચે આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ છે. 

પદયાત્રીઓ માટે ફ્રીમાં રીક્ષાની વ્યવસ્થા 
તમામ ભક્તો માટે અંબાજીમાં લાઈટ, દૂધ-પાણી, ભોજન, આવાસ, આરોગ્ય સહિતની તમામ સેવાઓ વહીવટી તંત્રે તૈયારી કરાઈ છે. ભક્તો માટે પાર્કિગ વ્યવસ્થા, દર્શન માટે લાઈન, મેળાનું જીવંત પ્રસારણ, ગબ્બર પર વિશેષ લાઈટની સુવિધા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માતાજીના ધામમાં શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ તકેદારી રાખવામાં આવી છે. ભક્તો માટે વીમા કવચ પણ લેવામાં આવ્યું છે. અંબાજીમાં પદયાત્રીઓ માટે ફ્રીમાં રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો નાના બાળકોને આઈકાર્ડ આપવામાં આવશે. ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 6500 જેટલાં પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે. જેમાં એસપી સહિત 20 ડીવાયએસપી, 54 પીએસઆઈ, 150 પીએસઆઈ, 2500 હોમગાર્ડના જવાનો અને 700 જીઆરડીના જવાનોનો સમાવેશ થાય છે.      

બનાસકાંઠાના કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું કે, વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમા ભરાતા મોટા મેળાઓમાં અંબાજી ભાદરવીના મહમેળાની ગણના થાય છે અને આ મેળામાં લાખો યાત્રીકો અને શ્રદ્ધાળુ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે એમાં પગપાળા યાત્રીકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોય છે અને અંબાજીના આવતા બધા રસ્તા પર માનવ મહેરામણ ઉમટે છે અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલ મારી અંબે જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે અને લાખો આવનાર શ્રદ્ધાળુઓને લઈને અંબાજી મંદિર વહીવટી તંત્રએ પદયાત્રીઓની અને દર્શનાર્થીઓની સેવા માટે તૈયારીઓને આખરીઓ આપી દીધો છે. 

મેળામાં જતા રસ્તા પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ કરાયા છે. લાઈટ દૂધ પાણી ભોજન, આવાસ, આરોગ્ય સહિતની તમામ સેવાઓની વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. તો ભક્તો માટે પાણીની, શુંધ્ધ ભોજન ,પાર્કિંગ વ્યવસ્થા દર્શન માટે લાઈન વ્યવસ્થા તેમજ મેળાનું જીવંત પ્રસારણ, ગબ્બર પર વિશેષ લાઈટનું સુવિધા અને ટેકનોલોજીના માધ્યમથી શ્રદ્ધાળુ ઓનલાઈન પણ દર્શન કરી શકશે.

ત્યારે ભાદરવીના મહા મેળામાં આ વખતે વહીવટી તંત્ર એ અનેક નવા પ્રયોગ પણ શરૂ કર્યા છે અને લાખો આવનાર શ્રદ્ધાળુ અને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેને માટે તકેદારી રખાઇ છે. તો ભક્તો માટે વીમા કવચ પણ લેવાયું છે. અંબાજીમાં આવતા પદયાત્રીઓને મફત રીક્ષાની પણ વ્યવસ્થા કરાઈ છે તો નાના બાળકો માટે આઈકાર્ડની પણ વ્યવસ્થા કરાઈ છે.

તો બીજી બાજુ સુરક્ષાને ધ્યાને લઈને 6500 પોલીસકર્મીઓ મેળા માટે તૈનાત કરાયા છે. જેમાં એસપી સહિત,20 DYSP, 54 પીઆઇ ,150 પીએસઆઇ,2500 હોમગાર્ડના જવાનો તેમજ 700 જીઆરડીના જવાનો તૈનાત કરાયા છે તો અંબાજી મંદિર પરિસર તેમજ અંબાજી શહેર અને પાર્કિંગ વિસ્તારો અને રસ્તાઓ ઉપર 400 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. તો ભક્તો માટે પ્રસાદને લઈને અનેક પ્રસાદ વિતરણ કેન્દ્રો બનાવાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news