IND vs NZ: શ્રેણી જીતી પત્ની અનુષ્કા સાથે રજાઓ માણવા નિકળ્યો વિરાટ કોહલી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચ બાકી છે, પરંતુ તેમાં કોહલી રમશે નહીં. સિરીઝમાં અજેય સરસાઈ બનાવ્યા બાદ કોહલીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે કોઈ ચિંતા વગર રજાનો આનંદ માણશે. 
 

IND vs NZ: શ્રેણી જીતી પત્ની અનુષ્કા સાથે રજાઓ માણવા નિકળ્યો વિરાટ કોહલી

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 વનડે મેચોમાં સફળ આગેવાની અને બેટિંગ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી રહે રજાઓ માણવા નિકળી ગયો છે. પત્ની અનુષ્કા શર્મા તેની સાથે છે અને ફોટો પોસ્ટ કરીને તેણે આ વાતની જાણકારી આપી છે. ફોટોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક પ્રાઇવેટ જેટની સામે ઊભા દેખાઈ રહ્યાં છે. ફોટોની સાથે વિરાટે હેશટેગ ટ્રેવલ વિથ હર લખ્યું છે. 

મહત્વનું છે કે ભારત ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ 3-0થી જીતી ચુક્યુ છે પરંતુ હજુ બે મેચ બાકી છે. આ બંન્ને મેચોમાં કેપ્ટન કોહલીને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ રોહિત ટીમની કમાન સંભાળશે. સિરીઝ જીતવા પર કોહલીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે કોઈ ચિંતા વિના આરામથી રજાઓ માણશે. 

A post shared by Virat Kohli (@virat.kohli) on

ચાંદની રાતમાં બેંચ પર બેસીશુ
હાલમાં એક ઈન્ટરવ્યૂમાં વિરાટે જણાવ્યું હતું કે, તેને ચાંદની રાતમાં અનુષ્કાની સાથે બેંચ પર બેસવું છે. તેણે કહ્યું હતું કે, હું અને મારી પત્ની સામાન્ય વસ્તુ કરવાનું પસંદ કરીએ છીએ. જેમ કે લાંબા વોક પર જવું. 

સારી રહી સિરીઝ
બેટ્સમેન તરીકે વિરાટ માટે અત્યાર સુધીની સિરીઝ સારી રહી. તેણે ત્રણ મેચોમાં 148 રન બનાવ્યા જેમાં એક અડધી સદી પણ સામેલ છે. તેનાથી વધુ રન માત્ર શિખર ધવન (169) અને રોહિત શર્મા (160)એ બનાવ્યા છઝે. એટલું જ નહીં કોહલી હવે સૌથી સફળ કેપ્ટનોમાં બીજા સ્થાન પર આવી ગયો છે. જીતની ટકાવારી પ્રમાણે વેસ્ટ ઈન્ડિઝના ક્લાઇવ લોયડ નંબર એક પર છે. તો કેપ્ટન કોહલીએ 63 મેચોમાંથી 47માં ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. તેની જીતની ટકાવારી 76.61 છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news