શિવાનંદ ઝા News

ગુજરાતના નવા પોલીસવડા માટે 13 નામની યાદી કેન્દ્રને મોકલાઈ
રાજ્યના નવા પોલીડ વડાની નિમણૂક માટે કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરાઇ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડીજીપી શિવાનંદ ઝા (Shivanand Jha) ને હવે એક્સટેન્શન નહિ મળે. ત્યારે ગુજરાતના નવા ડીજીપી માટે કેન્દ્રને કેટલાક નામોની યાદી મોકલવામાં આવી છે. ડીજીપીની પસંદગી માટે 13 નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે. કેન્દ્રમાંથી લીલીઝંડી મળ્યા બાદ નવા ડીજીપીના નામની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલના ડીજીપી શિવાનંદ ઝા 31 જુલાઈના રોજ નિવૃત્ત થવાના છે. હાલના પોલીસ વડા શિવાનંદ ઝાને અગાઉ કોવિડની સ્થિતિમાં લોકડાઉનના કારણે 3 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. 
Jul 24,2020, 12:08 PM IST
લોકડાઉનમાં છુટછાટ અપાઇ છે માટે લોકો મેળાવડાઓ કરવાનું ટાળે, કડક હાથે કાર્યવાહી થશે
May 19,2020, 19:35 PM IST
પોલીસવડાની મહત્વની જાહેરાત, આગામી ત્રણ-ચાર દિવસ શ્રમિકો માટે ઓરિસ્સા જવાની ટ્રેન નહિ
રાજ્યમાં લોકડાઉન વચ્ચે કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતા પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, છેલ્લા અનેક દિવસોથી શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે. આ માટે સંબંધિત રાજ્ય દ્વારા અપાતી વ્યવસ્થા કે પ્રક્રિયામાં વિલંબ થવો શક્ય છે. તેથી અફવાઓમાં આવીને અને નાના વિલંબને કારણ બનાવીને શ્રમિકો દ્વારા તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાના બનાવો બન્યો છે. આવા બનાવો ચલાવી લેવામાં નહિ આવે. આજે રાજકોટમાં રાપરમાં શ્રમિકો દ્વારા ટ્રેન રદ થવાને કારણે કેટલાક લોકો દ્વારા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં પોલીસ અને મીડિયા પર હુમલો થયો હતો. આ પ્રકારનું કૃત્ય કરનારા સામે ગુનો દાખલ કરાયો છે. મારી લોકોને અપીલ છે કે ,ધીરજ ગુમાવવીને પોલીસ, સ્થાનિક તંત્ર અને મીડિયા સાથે સંઘર્ષમા ન ઉતરે. કેટલાક કારણોસર ટ્રેન રદ થાય, અને વિલંબ થાય તો ફરી વ્યવસ્થા તરત કરવામાં આવશે. શ્રમિકોને શક્ય વહેલા તેમના વતનમાં મોકલાવમાં આવશે. 
May 17,2020, 17:08 PM IST
લોકડાઉનમાં ખેડૂતોને તેમના કામ માટે રોકવામા નહિ આવે : રાજ્યના પોલીસવડા
ગુજરાતમાં લોકડાઉનના 53મા દિવસે કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં જાહેરમાં તમામ સ્થળોએ શાંતિપૂર્ણ રીતે અમલ થાય તે રીતે છૂટછાટ અપાય છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ થાય તે માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહી છે. કન્ટેમેન્ટ સિવાયની વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખવાની છૂટછાટ અપાઈ છે. તો પ્રિબંધિત સેવા કે દુકાન ચાલુ ન રહે તે માટો પોલીસ નજર રાખી રહી છે. લોકોને અપીલ છે કે, જેટલી છૂટ અપાઈ છે તેમાં જ છૂટછાટ ભોગવે. શાકભાજી અને કરિયાણાની દુકાનો માટે 10 થી 3 સુધીની છૂટ છે. આ સમય દરમિયાન જ લોકો બહાર નીકળે. સાંજના 7 વાગ્યાછી 7 વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય તમામ સેવા અને વેચાણ બંધ રાખવામાં આવશે. તો સાથે જ ખેતી માટે અને ખેતી સંલગ્લન પ્રવૃત્તિઓને લોકડાઉમાંથી મુક્તિ અપાઈ છે. ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવશે નહિ, આ માટે જરૂરી તમામ સૂચનાઓ તમામ પોલીસ કર્મચારીઓને આપી દેવાઈ છે. ખેતપેદાશો વેચવા માટે પણ લોકડાઉનમાંથી મુક્તિ અપાઈ છે. 
May 16,2020, 16:31 PM IST
કચ્છની મસ્જિદમાં માઇક પર ભડકાઉ ભાષણ કરનારાને પાસામાં મોકલાયો - પોલીસ વડા
લોકડાઉનમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણમાંથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવાઈ છે. લોકહિત માટે પોલીસ કામગીરી કરી રહી છે, ત્યારે નાગરિકો પોતે તકેદારી રાખે અન્ય પાસે પણ તકેદારી રખાવે તે જરૂરી. આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણમાં પણ દુકાનદારો અને નાગરિકો યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવિશેષ તકેદારી રાખવી જરૂરી હોય આ વિસ્તારમાં અગાઉની જેમ જ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાશે અને તે માટે પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
May 15,2020, 18:15 PM IST
ઇ ટિકિટના આધારે જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ, નિયમોનું કડક પાલન કરાવાશે: ડીજીપી
May 12,2020, 17:43 PM IST
કાયદો હાથમાં લઇ અવરોધ ઉભો કરતા અસામાજિક તત્વોને સાંખી લેવાશે નહિ : રાજ્ય પોલીસવડા
May 9,2020, 20:31 PM IST
તંત્રને સહકાર આપો નહી તો વતન જવા નિકળ્યાં હશોને સીધા જેલમાં પહોંચશો: રાજ્ય પોલીસ વડા
May 5,2020, 16:57 PM IST

Trending news