રાફેલ આવવાથી ભારતની શક્તિમાં થશે વધારોઃ રાજનાથ સિંહ

ભારતીય વાયુસેનાને થોડી વારમાં પ્રથમ રાફેલ(Rafael) યુદ્ધ વિમાન મળશે. ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહ તેની પ્રથમ ડિલિવરી લેવા માટે ફ્રાન્સ પહોંચ્યા છે. રાજનાથ સિંહ ફ્રાન્સની વાયુસેનાના પ્લેનમાં બેસીને રાફેલ વિમાનની ફેક્ટરીમાં પહોંચ્યા છે. તેમણે અહીં ફેક્ટરીની મુલાકાત લીધી હતી. ફ્રાન્સ દ્વારા થોડીવારમાં જ ઔપચારિક રીતે પ્રથમ રાફેલ વિમાન સોંપવામાં આવશે.

Trending news