અરબી સમુદ્રમાં પણ કરંટ ઓછો થતાં વેરાવળના માછીમારો પહોંચ્યા ફિશિંગ કરવા
ગીર સોમનાથ ના વેરાવળ થી હાલ મહા વાવાઝોડા 720 કી. મી. દૂર છે અને ગુજરાત ના સમુદ્ર પર આવતા તેની તીવ્રતા માં પણ નોંધપાત્ર ઘટાડો નોંધવા ની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. બીજી તરફ અરબી સમુદ્રમાં પણ કરંટ ઓછો થયો છે શાંત સમુદ્ર થતા માછીમારો એ તંત્ર ની મનાઈ છતાં ફરી ફિશિંગ માટે સમુદ્ર ની વાટ પકડી લીધી છે. તો તંત્ર પણ સંભવિત આપદા સામે સજજ બન્યું છે.