અમદાવાદમાં અહીં જરૂરિયાતમંદોને મળશે ફક્ત 5 રૂપિયામાં ભરપેટ ભોજન

અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે નાગલધામ ગ્રુપ દ્વારા અનોખી અને માનવીય શરૂઆત કરવામાં આવી છે. માત્ર 5 રૂપિયા ભરપેટ ભોજન આપવાની પ્રશંસનીય શરૂઆત કરી છે. સવારે દાળ ભાત અને સાંજે વઘારેલી ખીચડી નાગરિકોને માત્ર 5 રૂપિયા ભરપેટ જમાડવામાં આવશે. નાગલધામ ગ્રુપ દ્વારા સાથે જ અચ્છાઈ ની દિવાલ એટલે જે નાગરિકો જુના કે નવા કપડાનો દાન કરવા માંગતા હોય તે કરી શકે છે. તેમજ જરૂરિયાત વાળા નાગરિકો એ દિવાલ થી વિના મૂલ્યે ટ્રાયલ કરીને પોતાના માટે કપડાં પણ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની પહેલ બાદ હવે સામાજિક સંઘટનો પણ જરૂરિયાત વાળા નાગરિકોની મદદે આગળ આવ્યા છે.

Trending news