જય શ્રી રામ: અયોધ્યા અંગે ઐતિહાસિક ચુકાદા બાદ PM LIVE...

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં વિવાદિત સ્થળને રામ જન્મભૂમી તરીકે સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ વિવાદિત સ્થળ પર જ મંદિર બનાવવામાં આવે. તેના માટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવા સુપ્રીમે આદેશ આપ્યો છે. સાથે જ સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અલગથી 5 એકર જમીન આપવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા સાથે જ રામ જન્મભૂમિ વિવાદનો અંત આવી ગયો છે.

Trending news