RSSના વડા મોહન ભાગવત બોલ્યા, દેશમાં સૌ કોઈ આંદોલન પર બેસવા મજબૂર બન્યા...

RSSના વડા મોહન ભાગવતનું અમદાવાદના દિનેશ હોલ ખાતે વક્તવ્ય યોજાયું. શ્રી ગુરુજી વ્યાખ્યાને યોજાયેલ કાર્યક્રમમાં મોહન ભાગવતે આજના વિજ્ઞાન અને જ્ઞાન સાથે લોકોની વ્યસ્તતા પર ભાષણ આપ્યું હતું. સાથે જ મોહન ભાગવે નિવેદન આપ્યું કે, દેશમાં આજે કોઈ પણ વ્યક્તિ સુખી નથી. જ્યા જુઓ ત્યાં આંદોલન ચાલી રહ્યાં છે. દેશમાં મજુર હોય, માલિક હોય કે પછી વિદ્યાર્થી હોય... સૌ કોઈ આંદોલન પર બેસવા મજબૂર બન્યા છે. સાથે જ ઉગ્રવાદીઓનો પણ દેશમાં ખતરો વધ્યો છે. દેશમાં વિજ્ઞાનની સાથે જ્ઞાન વધ્યું છે, પરંતુ ટેક્નોલોજીના યુગમાં હિંસા પણ એટલી જ વધી છે.

Trending news