ભારતને મળશે આજે પ્રથમ લડાકુ રાફેલ વિમાન

રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે. રાફેલ અત્યાધુનિક ટેક્નોલોજીથી લેસ ફાઈટર વિમાન છે. દસોલ્ટ સાથે થયેલી ડીલ મુજબ પહેલા વિમાનની ડિલિવરી આજે મળી રહી છે. ભારતમાં શસ્ત્ર પૂજાની પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી છે. મહારાણા પ્રતાપની આ ધરતી પર રાજપૂત રાજાઓ દુશ્મનોના રણભૂમિમાં છક્કા છોડાવતા પહેલા અસ્ત્ર-શસ્ત્ર પૂજા કરતા રહે છે. આ પરંપરાનું પાલન કરતા ભારતીય સેનામાં પણ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજા થાય છે. કદાચ આ પરંપરાને નિભાવવા માટે જ રાફેલ વિમાનની ડિલિવરી માટે વિજયા દશમીનો દિવસ પસંદ કરાયો છે. આ ઉપરાંત આજે ભારતીય વાયુસેના દિવસ પણ છે.

Trending news