ટોરન્ટો: વેનચાલકે રાહગીરોને કચડી નાખ્યાં, 10ના મોત અને 15 ઘાયલ

કેનેડાના ટોરન્ટો ડાઉનટાઉનમાં આજે એક વેને રસ્તે જતા અનેક લોકોને કચડી નાખ્યાં. આ ભયંકર વારદાતમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે.

ટોરન્ટો: વેનચાલકે રાહગીરોને કચડી નાખ્યાં, 10ના મોત અને 15 ઘાયલ

'ટોરન્ટો: કેનેડાના ટોરન્ટો ડાઉનટાઉનમાં આજે એક વેને રસ્તે જતા અનેક લોકોને કચડી નાખ્યાં. આ ભયંકર વારદાતમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ અકસ્માતની માહિતી આપતા હાલ તો એવું કહ્યું નથી કે આ અકસ્માત અજાણતા થયો કે પછી જાણી જોઈને કરવામાં આવ્યો.

દુર્ઘટના બાદ ડેપ્યુટી પોલીસ ચીફ પીટરે જણાવ્યું કે આ એક જટિલ તપાસ સાબિત થઈ રહી છે. પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. પીટરે જણાવ્યું કે તેમની તપાસ ચાલુ છે. આ ઘટના બાદ પોલીસને મળેલી માહિતી મુજબ 8-10 રાહગીતોને કચડી નાખ્યા હોવાની વાત સામે આવી હતી.

— AFP news agency (@AFP) April 24, 2018

ત્યારબાદ ડેપ્યુટી પોલીસ ચીફે 10 લોકોના મોતની પુષ્ટિ કરી નાખી છે. સ્થાનિક મીડિયા મુજબ વેન ચાલક ઘટના બાદ વાહનને ઘટનાસ્થળેથી લઈને ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ ત્યારબાદ તેની ધરપકડ કરી લેવાઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news