બેન્ક એકાઉન્ટમાં આટલા લાખથી વધુ રૂપિયા રાખ્યા તો આવી જશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો નિયમ

Bank Account: આજના સમયમાં બેન્ક એકાઉન્ટ હોવું પાયાની જરૂરીયાત બની ગયું છે. બેન્ક એકાઉન્ટ ન માત્ર તમારા પૈસા જમા થાય છે પરંતુ તમને વ્યાજ પણ મળે છે. તમે બેન્ક એકાઉન્ટ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.
 

બેન્ક એકાઉન્ટમાં આટલા લાખથી વધુ રૂપિયા રાખ્યા તો આવી જશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો નિયમ

Bank Account: આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે બેન્ક એકાઉન્ટ હશે. નોકરી કરતા લોકોનો તો પગાર પણ સીધો બેન્કમાં જમા થતો હોય છે. બેન્ક આ જમા રકમ પર વ્યાજ આપે છે. ઘણીવાર ગ્રાહકો પોતાના સેવિંગ બેન્ક એકાઉન્ટમાં લાખો રૂપિયા જમા કરી દેતા હોય છે પરંતુ શું તમને ખ્યાલ છે કે તમે બેન્ક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરી શકો છો. જેથી ઈનકમ ટેક્સની નજર તમારા પર ન પડે. આ માટે તમારે ખાસ સાવચેતી પણ રાખવાની જરૂર છે. 

  1. બચત ખાતામાં નાણાંકીય વ્યવહારની કોઈ મર્યાદા નહીં
  2. સેવિંગ એકાઉન્ટ પર જે પણ વ્યાજ મળે તે ટેક્સેબલ
  3. સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા હોવા જોઈએ?

આટલા કેશ ડિપોઝિટની આપવી પડે છે જાણકારી
તો કોઈ સેવિંગ એકાઉન્ટમાં એટલા રૂપિયા ન રાખવા જોઈએ કે તે ઈનકમ ટેક્સની રડાર પર આવી જાય. આઈટી વિભાગને આપણા બેન્ક એકાઉન્ટમાં કેશ ડિપોઝિટની જાણકારી હોય છે. કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડે કોઈપણ બેન્ક માટે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરવાની જાણકારી આપવી ફરજીયાત છે. 10 લાખ રૂપિયાની આ મર્યાદા એફડીમાં રોકડ જમા, મ્યૂચુઅલ ફંડ, બોન્ડ અને શેરમાં રોકાણ અને ફોરેન કરન્સી જેમ ટ્રાવેલર ચેક, ફોરેક્સ કાર્ડ વગેરેની ખરીદી પર પણ લાગૂ પડે છે. 

બચત ખાતામાં પૈસા જમા કરવાની કોઈ લિમિટ હોતી નથી

તમને જાણીને નવાઈ લાગશે પણ ભારતમાં સૌથી વધુ નાણાંકીય વ્યવહાર સેવિંગ એકાઉન્ટમાંથી કરવામાં આવે છે. શું તમને ખબર છે કે, સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા હોવા જોઈએ? બચત ખાતામાં પૈસા જમા કરવાની કોઈ લિમિટ હોતી નથી, પરંતુ સેવિંગ એકાઉન્ટમાં જમા થતા પૈસા ઈન્કમટેક્સની ગણતરી હેઠળ આવે છે, તેથી તેની જાણકારી આપવી પડે છે. સેવિગ્સ એકાઉન્ટ માટે કોઈ નિયમ નથી. જેથી તમે એક લિમિટ સુધી તો પૈસા રાખી જ શકો છો. 

સેવિંગ એકાઉન્ટમાં રાખી શકો છો કેશ
હંમેશા લોકો વધારે પડતા ટ્રાન્ઝેક્શન આ એકાઉન્ટથી કરે છે. તેમાં પૈસા જમા કરવા અને ઉપાડવાના ટ્રાન્ઝેક્શન થાય છે. સેવિંગ એકાઉન્ટમાં મોટા ભાગના લોકો આ ખાતામાં પોતાની બચત રાખે છે. પરંતુ જ્યારે સવાલ થાય કે સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા રાખી શકાય છે. તમને જણાવી દઈએ કે સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા રાખી શકાય તેની કોઈ લિમિટ નથી. સેવિંગ એકાઉન્ટમાં તમે ઈચ્છો એટલા રૂપિયા રાખી શકો છો, પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

10 હજાર સુધી કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી

તમે એ ના ભૂલો કે સેવિંગ એકાઉન્ટ પર જે પણ વ્યાજ મળે છે, તેના પર ટેક્સ ચૂકવવાનો રહે છે. જે માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે. ઈન્કમટેક્સ એક્ટ સેક્શન 80TTA અનુસાર સામાન્ય લોકોએ બચત ખાતામાં 10 હજાર સુધી કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. વ્યાજની રકમ 10 હજાર કરતા વધુ હોય તો ટેક્સ ચૂકવવાનો રહે છે. વરિષ્ઠ નાગરિકે 50 હજાર સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. 

બચત ખાતા પર જે વ્યાજ મળે છે, તેને અન્ય સ્ત્રોતમાંથી થતી આવક તરીકે ગણવામાં આવે છે. ત્યારપછી કુલ આવક પર ટેક્સ બ્રેકેટ અનુસાર ટેક્સ ચૂકવવાનો રહે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news