રણવીર તો છે પ્રેમમાં ઉંધેકાંધ પણ કેવું છે સાસુ-સસરાનું વર્તન? દીપિકાએ ઘરની વાત કરી જાહેર

લગ્ન પછી રણવીર અને દીપિકાએ પ્રોફેશનલ કામ શરૂ કરી દીધું છે

રણવીર તો છે પ્રેમમાં ઉંધેકાંધ પણ કેવું છે સાસુ-સસરાનું વર્તન? દીપિકાએ ઘરની વાત કરી જાહેર

મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા લગ્ન પછી ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે. હાલમાં દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્ન પછીના જીવનની વાત કરી જેમાં તેણે પોતાના સાસુ-સસરા સાથેના સંબંધોની હકીકત જાહેર કરી છે. પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે દીપિકાએ જણાવ્યું છે કે તેના સસરા તેની સાથે દીકરી જેવું અને સાસુ મિત્ર જેવું વર્તન કરે છે. હવે આખી દુનિયાને ખબર છે કે રણવીર સિંહ દીપિકાના ગળાડૂબ પ્રેમમાં છે પણ તેના માતા-પિતા સાથે પણ દીપિકાને જામી ગયું છે એટલે હવે તેને કોઈ પારિવારીક સમસ્યાઓ નહીં સતાવે એવી દીપિકાના પરિવારને ખાતરી થઈ ગઈ છે. 

નવેમ્બર મહિનામાં લગ્ન કર્યા પછી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સતત ચર્ચામાં છે. લગ્ન પછી દીપિકાની પ્રેગનન્સીને લગતા સમાચાર આવવા લાગ્યા હતા. હવે આ મામલે દીપિકાએ પહેલીવાર ચુપકીદી તોડી છે. પ્રેગનન્સીની અફવા વિશે દીપિકાએ સ્પષ્ટતા કહ્યું છે કે ''મને નથી લાગતું કે મારે એને ટેકલ કરવાની જરૂર છે. અમારા પર સતત બધાની નજર હોય છે જેના કારણે અમારે આ પ્રકારની અફવાઓનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેય ક્યારેક લોકો પોતાની રીતે અનુમાન બાંધવા લાગે છે. ક્યારેક તેઓ સાચા સાબિત થાય છે અને ક્યારેક ખોટા. આ કારણે મને આ મામલે ડિલ કરવાની કોઈ જરૂર નથી લાગતી. મને લાગે છે કે જ્યારે હું માતા બનવાની હોઈશ ત્યારે બની જઈશે. લગ્ન કર્યા પછી અને માતા બન્યા બાદ સમાજમાં જવાબદારી વધી જાય છે. મેં અનેક મહિલાઓ પાસેથી સાંભળ્યું છે કે માતૃત્વ મોટી જવાબદારી છે.''

તાજેતરમાં જ્યારે રણવીરને બેબી પ્લાનિંગ અંગે પૂછવામાં આવ્યું તો કહ્યું આ નિર્ણય મારો ઓછો અને દીપિકાનો વધારે છે. આ અંગેનો નિર્ણય મેં દીપિકા પર છોડ્યો છે. રણવીરે દીપિકાના વખાણ કરતાં કહ્યું, “દીપિકા દરેક બાબતે મારાથી ચડિયાતી છે. મને એ વાત સ્વીકારવામાં બિલકુલ સમસ્યા નથી કે તે મારા કરતાં વધુ સમજદાર છે. લગ્ન બાદ મારા વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર નથી થયો. હું પણ નથી ઈચ્છતો કે હું અને દીપિકા જરા પણ બદલાઈએ. જેવા છીએ તેવા જ રહેવા માગીએ છીએ.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news