ધનુષે રજનીકાંતની દીકરીને કેવી રીતે પટાવી હતી? એક અફવાથી તેની આખી જિંદગી બદલી ગઈ હતી

પોતાના એક ગીતથી આખા દેશમાં પોપ્યુલર બની જનાર કોલાવીર ડી સ્ટાર ધનુષ પોતાના ટેલેન્ટને કારણે જ ઈન્ટરનેશનલ ફેમ બની ગયો છે. બોલિવુડમાં ફિલ્મ રાંઝણાના કુંદન બનીને છવાઈ જનાર સાઉથ સુપરસ્ટાર ધનુષની પોતાની લવસ્ટોરી બહુ જ રસપ્રદ છે. આજે ધનુષનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે જાણો કે, સામાન્ય જેવો લાગતો યુવક કેવી રીતે સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ અને નેશનલ એવોર્ડ વિનર એક્ટર બની ગયો.
ધનુષે રજનીકાંતની દીકરીને કેવી રીતે પટાવી હતી? એક અફવાથી તેની આખી જિંદગી બદલી ગઈ હતી

નવી દિલ્હી :પોતાના એક ગીતથી આખા દેશમાં પોપ્યુલર બની જનાર કોલાવીર ડી સ્ટાર ધનુષ પોતાના ટેલેન્ટને કારણે જ ઈન્ટરનેશનલ ફેમ બની ગયો છે. બોલિવુડમાં ફિલ્મ રાંઝણાના કુંદન બનીને છવાઈ જનાર સાઉથ સુપરસ્ટાર ધનુષની પોતાની લવસ્ટોરી બહુ જ રસપ્રદ છે. આજે ધનુષનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે જાણો કે, સામાન્ય જેવો લાગતો યુવક કેવી રીતે સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ અને નેશનલ એવોર્ડ વિનર એક્ટર બની ગયો.

ધનુષનું રિયલ નામ વેંકેટેશ પ્રભુ કસ્તુરી રાજા છે. ધનુષ ભારતીય સિને સ્ટાર તો છે જ, આ સાથે જ પ્રોડ્યુસર, સોન્ગ રાઈટર અને પ્લેબેક સિંગર પણ છે. તેણે ફિલ્મ આદુકલમ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

સતત ચોથા દિવસે સસ્તુ થયું પેટ્રોલ, જુઓ તમારા ખિસ્સાના કેટલા રૂપિયા ઓછા થશે

અફવાને કારણે લગ્ન થયા
આ તો બધા જ જાણે છે કે, ધનુષની પત્ની ઐશ્વર્યા ઈન્ડિયન સિનેમાના થલાઈવા રજનીકાંતની દીકરી છે. પરંતુ ઐશ્વર્યા સાથે ધનુષના લગ્નની કહાની બહુ જ ફિલ્મી છે. ધનુષે વર્ષ 2004માં ઐશ્વર્યા રજનીકાંત સાથે લગ્ન કર્યા હતા. 

એક ઈન્ટરવ્યૂમાં ધનુષે જણાવ્યું હતું કે, મારી ફિલ્મ કાઢાલ કોંડે હું પોતાના પરિવાર સાથે જોવા પહોંચી હતી. ફિલ્મ પૂરી થયા બાદ સિનેમાહોલના માલિકે મારી મુલાકાત રજનીકાંત સરની દીકરીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા સાથે કરાવી હતી. પરંતુ તે દિવસે વાત માત્ર હાય હલ્લો સુધી સિમિત રહી હતી. ધનુષે કહ્યું કે, શોના બીજા દિવસે મને ઐશ્વર્યા તરફથી એક બૂકે મળ્યુ, જેમાં લખ્યું હતું કે, ગુડ વર્ક. ટચમાં બની રહેજે.

મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સજોડે આર્ય સમાજના યજ્ઞ કુંડમાં આહુતિ આપી

બસ, પછી તો બંનેની મુલાકાત થતી રહી અને મીડિયાથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સુધી બંનેના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું. જેના બાદ સમાચાર પર લગાવવા બંને પરિવારોએ આ વિશે વિચાર્યું અને પછી લગ્નની જાહેરાત કરી દીધી. ધનુષે જ્યારે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર 21 વર્ષની જ હતી, અને ઐશ્વર્યાની ઉંમર 23 વર્ષની હતી. હાલ તેમને સંતાનમાં બે બાળકો છે. યાત્રા અને લિંગા.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news