ફિલ્મોમાંથી મોટો બ્રેક લઈ રહી છે કેટરિના કૈફ, કારણ કે...

હાલમાં કેટરિનાએ ફિલ્મમેકર રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી સાઇન કરી છે

ફિલ્મોમાંથી મોટો બ્રેક લઈ રહી છે કેટરિના કૈફ, કારણ કે...

નવી દિલ્હી : બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને મહેનતથી ખાસ જગ્યા બનાવી લેનારી એક્ટ્રેસ કેટરિના કૈફ થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લઈ રહી છે. કેટરિના 16 જુલાઈએ પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહી છે. કેટરિના આ દિવસ પોતાના પરિવાર સાથે સેલિબ્રેટ કરવા ઇચ્છે છે અને આ  માટે તેણે આખો પ્લાન બનાવી લીધો છે. હાલમાં કેટરિનાએ ફિલ્મમેકર રોહિત શેટ્ટીની સૂર્યવંશી સાઇન કરી છે. રોહિતની આ ફિલ્મ સિંઘમ અને સિંબાની જેમ કોપ ડ્રામા સિરીઝ હશે.  આ ફિલ્મમાં અક્ષય પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 27 માર્ચ, 2020ના દિવસે રિલીઝ થશે. 

કેટરિના પોતાનો બર્થડે બહુ સામાન્ય રીતે પોતાની બહેનો તેમજ મિત્રો સાથે સેલિબ્રેટ કરવા ઇચ્છે છે અને આ માટે જે તેણે નાનકડો બ્રેક લીધો છે. હાલમાં કેટરિનાએ કહ્યું છે કે ''મારી જિંદગીમાં એક તબક્કો એવો હતો કે હું મારું ધ્યાન કામ કરતા વધારે બીજી વસ્તુઓ પર હતું. મારું ધ્યાન માત્ર મારી રિલેશનશીપ પર હતું અને હું એનાથી ખુશ હતી. મને એ વાતનો કોઈ અફસોસ નથી.  જોકે પછી મારી જિંદગીમાં બદલાવ આવ્યો. હું કામ વિશે વધારે વિચારવા લાગી. મને લાગે છે મેં જગ્યા પર પહોંચવા બહુ મહેનત કરી છે.''

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એન્કરે સવાલ પૂછ્યો હતો કે રણબીર કપૂર સાથે બ્રેકઅપ બાદ તમે શું અનુભવ્યું હતું? જેનો જવાબ આપતાં કેટરિનાએ કહ્યું હતું કે કેટરીનાએ કહ્યું હતું કે અંગત જીવનમાં અને પ્રોફેશનલ લાઈફમાં ઘણું બધું બદલાઈ ગયું હતું, અમારા સંબંધો તૂટતા હું મારી ઘણી વાતો સમજવા માટે અને વિચારવા માટે મજબૂર બની હતી. જે થવાનું હતું, તે થઈ જ ગયું. દરેક ઘટના બનવા પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news