અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઈ ખેત! કાછડિયાના દર્દ પર કોંગ્રેસે કર્યો કટાક્ષ

Naran Kachadiya Against BJP : ચૂંટણી બાદ છલકાયું ભાજપ નેતા નારણ કાછડિયાનું દર્દ.. કહ્યું, આપ-કોંગ્રેસના કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય.. તો કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું, હાથના કર્યા હૈયે વાગ્યા.. 

અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઈ ખેત! કાછડિયાના દર્દ પર કોંગ્રેસે કર્યો કટાક્ષ

Loksabha Election 2024 : ભાજપના બધુ બરાબર હોવાનો રાગ ભલે આલાપાતો હોય, પરંતું પક્ષમાં કાણાં તો પડી રહ્યાં છે. દબાયેલા અવાજ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યાં છે. નેતાઓની હિંમત ખૂલી રહી છે, અને તેઓ ખૂલીને બોલી રહ્યાં છે. ત્યારે અમરેલીથી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાનું દર્દ છલકાયું છે. તેમણે પક્ષ સામે વિરોધી સૂર કહ્યાં છે. ત્યારે ભાજપના આંતરિક ડખ્ખામાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. 

ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા
ભાજપમાં ભડકા બાદ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનુ નિવેદન સામે આવ્યું છે. જેની ઠુમ્મરે કહ્યું કે, સાંસદ કાછડિયા ભાજપની આંતરિક પરિસ્થિતિનું સત્ય સામે લાવ્યા તે બદલ અભિનંદન. જયેશ રાદડિયાની જીત બદલ દિલીપભાઈ સંધાણીને અભિનંદન. ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને સત્યનો સાથ આપ્યો. ભારતીય જનતા પાર્ટીને હાથના કર્યા હૈયે વાગ્યા છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 10, 2024

 

કાછડિયાએ ભાજપ વિરુદ્ધ શું કહ્યું..
મતદાન પૂરું થતા જ અમરેલીના નારણ કાછડીયાએ ભાજપ માટે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓને ઉભો કરતા દસ વર્ષ લાગે છે. કાર્યકર્તાઓને તોડવાની કોઈ કોશિશ ના કરે, કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ. કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય છે. બીજે દિવસે કેબિનેટના મંત્રીના પદ મળી જાય.. સંગઠનના પદ મળી જાય.. ધારાસભ્યની ટિકિટો મળી જાય.. તમે પાર્ટીમાં નિયમ પ્રમાણો લો, આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની તે અમે જાણીએ છીએ. કાર્યકર્તાઓને પાર્ટીમાં લો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ભોગે નહીં.ભાજપના કાર્યકર્તા 35-35 વર્ષથી કામ કરતો હોય અને પાર્ટીના ઝંડા લગાવતો હોય.. નારા લગાવતો હોય.. અને તમે કાલે સવારે લઈ આવો એ સ્ટેજ પર બેસે અને સિનિયર કાર્યકર્તા સામે બેઠો હોય તે કેટલા અંશે વ્યાજબી કહેવાય?” વધુમાં તેમણે કહ્યું કે, ભાજપના કોઈ પણ કાર્યકર્તાને સાઈડલાઈન કરીને કોઈને પદ કે હોદ્દો આપવો.. જે કાલે સવારે આવ્યા હોય.. તેમના માટે તો ક્યારે સ્વીકારી ન શકીએ. વિપક્ષ પાસે કશું જ નથી છતાં આપણને હંફાવે છે. અમરેલી લોકસભા બેઠક પર દોઢ લાખ મત ઓછા પડ્યા હતા. ઉમેદવાર સિલેક્શન કરીને મતદારોનો દ્રોહ કર્યો છે. અમરેલીમાં બહુ બધા ઉમેદવાર લાયક લોકો હતા. જે ‘થેંક્યૂ’ પણ નો બોલી શકે એને ટિકિટ આપી છે. આમ, નારણ કાછડિયાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે નબળા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસે ભાજપને હંફાવ્યા છે. તે સિવાય ભાજપમાં કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓને સામેલ કરવાને લઇને પણ કાછડિયાએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપમાં થયેલી વેલકમ પાર્ટીઓ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપમાં એક પછી એક પત્તા ખૂલી રહ્યાં છે
કોંગ્રેસ પ્રવકતા ડૉ મનીષ દોષીએ કહ્યું કે, ભાજપમાં એક પછી એક પત્તા ખૂલી રહ્યાં છે. અસંતોષની ભાજપની આક્રોશ યાત્રા વડોદરા, સાંબરકાંઠા, આણંદ, વલસાડ, રાજકોટ બાદ હવે અમરેલી પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં પત્રિકા કાંડ થયો છે. સાંસદ નારણ કાછડીયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. અમરેલીનાં સાંસદ નારણ કાછડીયા ખુલીને સામે આવ્યા આ તેમની વ્યથા છે. ભાજપમાં ત્રણ પ્રકારના જૂથ પક્ષપલટો કરીને આવેલા લોકો મુદ્દે વ્યથા છે. મૂળ કાર્યકરનું અપમાન થાય છે આ તેનો આક્રોશ છે. પક્ષમાં જે ગોઠવણ ચાલે છે તેની વાત તેમને કરી છે. ભાજપમાં ખરીદ વેચાણ, નાણાં સહિતના ખેલ થઈ રહ્યા છે, જેની સામે મૂળ કાર્યકરો નારાજ છે. 

અબ પછતાયે હોત ક્યા, જબ ચીડીયા ચુગ ગઈ ખેત
સાંસદ કાછડીયાના નિવેદન પર ભાજપના નેતા ડો. ભરત કાનાબાર પણ બોલ્યા છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગી બાબતે નારાજગી વ્યક્ત કરતા નિવેદન મુદ્દે ભાજપના આગેવાન ડો. ભરત કાનાબાર બોલ્યા કે, અબ પછતાયે હોત ક્યા, જબ ચીડીયા ચુગ ગઈ ખેત. ભાજપમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા બહુ સ્ટ્રોંગ છે. ઉમેદવાર પસંદગીમાં આ વખતે અનેક જગ્યાએ વિરોધ થયા છે. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં આવુ પ્રથમ વખત બન્યું છે કે કાર્યકરોએ ઉમેદવાર પસંદગી પર વિરોધ વ્યક્ત કર્યો. નારણ કાછડીયા એ પોતાનો અભિપ્રાય આજે ખુલીને વ્યકત કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news