કતારગામના કાસાનગરમાં લાગી ભીષણ આગ, લાખોનો માલ થયો રાખ

આગમાં ઘણા વાહનો તથા ગોડાઉનમાં રાખવામાં માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. 

કતારગામના કાસાનગરમાં લાગી ભીષણ આગ, લાખોનો માલ થયો રાખ

ચેતન પટેલ, સુરત: કતારગામના કાસાનગર વિસ્તારમાં સોમવારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. આગના લીધે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણકારી મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો.જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. 

મળતી માહિતી અનુસાર સોમવારે સુરતના કતારગામના કાસાનગર વિસ્તારમાં આગની ઘટના સર્જાઇ હતી. આગના પગલે સ્થાનિકોમાં નાસભાગ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના 9 ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તબક્કે આ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું જાણવા મળ્યું છે. 

આગમાં ઘણા વાહનો તથા ગોડાઉનમાં રાખવામાં માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news