નીતિનભાઇ ભૂલી ગયા કે તેઓ મારા કારણે નાયબ મુખ્યપ્રધાન છેઃ હાર્દિક પટેલ

ઉલ્લેખનીય છે કે આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલે આજે પારણાં કર્યા હતા.
 

નીતિનભાઇ ભૂલી ગયા કે તેઓ મારા કારણે નાયબ મુખ્યપ્રધાન છેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસના 19માં દિવસે પારણા કર્યા હતા. સમાજની સંસ્થાઓના આગેવાનોએ હાર્દિકને પારણા કરાવ્યા હતા. પારણા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા હાર્દિક પટેલે સરકાર પર પ્રહારો કર્યા હતા. હાર્દિકે અંતમાં કહ્યું કે, નીતિનભાઇ પટેલ ભૂલી ગયા છે કે તે મારા કારણે નાયબ મુખ્યપ્રધાન છે. મહત્વનું છએ કે, નીતિન પટેલે કહ્યું હતું કે, હાર્દિક પારણા કરે તે સારી વાત છે પરંતુ તેણે વહેલા પારણા કરી લેવાની જરૂર હતી. નીતિનભાઇએ કહ્યું કે, જેને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી તેમના હાથે પાણી કેમ પીધું? હાર્દિકે નરેશ પટેલનો અનાદાર કર્યો છે. તેનો જવાબ આ રીતે આપ્યો હતો. 

આજે સવારે જ્યારે માહિતી મળી કે હાર્દિક પારણા કરવાનો છે ત્યારે નીતિન પટેલે કહ્યું કે, હાર્દિકે સ્વયં પારણા અંગે જાણકારી આપી. મોડે-મોડે પારણા કરવાનો જે નિર્ણય કર્યો તે સારો છે. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, હાર્દિકે સમાજના અગ્રણીઓની લાગણી દુભાવી છે. પારણાનો નિર્ણય પહેલા કરવાનો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news