તૈયારીઓ શરૂ! ગુજરાતના આ શહેરમાં આઈસોલેશન વોર્ડ તૈયાર, રોજના 150થી 200 નોંધાઈ રહ્યા છે આ કેસ

જિલ્લા કલેકટરના આદેશ અનુસાર સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 10 તો સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડ સાથેનો અલાયદો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 

 તૈયારીઓ શરૂ! ગુજરાતના આ શહેરમાં આઈસોલેશન વોર્ડ તૈયાર, રોજના 150થી 200 નોંધાઈ રહ્યા છે આ કેસ

પ્રશાંત ઢીવરે/સુરત: કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ સીઝનલ ફ્લુના કેસોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લઈને તંત્ર સતર્ક થયું છે. જિલ્લા કલેકટરના આદેશ અનુસાર સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 10 તો સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડ સાથેનો અલાયદો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 

સુરત શહેરમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ઉનાળામાં માવઠું પડતા અને વાતાવરણમાં પલટો આવતા સીઝનલ ફ્લુના કેસોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે હાલમાં સિવિલ હોસ્પિટલમાં દૈનિક 150 થી 200 જેટલા સીઝનલ ફ્લુના કેસો સામે આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતમાં મનપા દ્વારા ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરુ કરાયા બાદ હવે આઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે. 

સુરતની સિવિલ હોસ્પિટલમાં 10 બેડ અને સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડનો અઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે. સીઝનલ ફ્લુના દર્દીને તકલીફ ન પડે અને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમ્પ સેલ બિલ્ડીંગમાં સીઝનલ ફ્લુના દર્દીઓ માટે 10 બેડનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. તમામ બેડ ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની જરૂરી સુવિધા સાથે સજ્જ રાખવામાં આવ્યો છે.

આજદિન સુધીમાં સુરત શહેરમાં કોરોનાના કુલ 1,67,538 દર્દી નોંધાઇ ચુક્યા છે.એની સામે 1,65,826 દર્દી સાજા થયા છે. 1683 દર્દીના મોત થયા છે.જીલ્લાની વાત કરી તો આજદિન સુધીમાં સુરત જિલ્લામાં કોરોનાના કુલ કેસ 44.662 થયા છે. જે પૈકી 44,090 દર્દી સાજા થયા છે 560 દર્દી મોતને ભેટ્યા છે. હાલ કોરોનાના કેસ વધતા દેખાતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર સંબંધિત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરાઈ છે.

સિવિલ હોસ્પિટલમાં સુપ્રીડેન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે સીઝનલ ફ્લુના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને તેઓને આઈસોલેશન રાખવા માટે અલાયદો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. અહી 10 બેડ ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની સુવિધા સાથે સજ્જ કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓને સારવાર માટે પૂરી ટીમ તૈયાર છે તેમ છતાં જો દર્દીઓ વધશે તો જરૂરિયાત મુજબ સ્ટાફ પણ વધારવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news