નવસારી: બસ ડેપોમાં ઘૂસેલી બસે સર્જ્યો આકસ્માત, ત્રણના ઘટના સ્થળે જ મોત

નવસારીમાં બસ ચાલકે વિચિત્ર રીતે ગંભીર અકસ્માત સર્જ્યો છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે 5-6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ઘટના સ્થળ પર જ 2 લોકોના મોત થયા હતા. જ્યારે 1 વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. 

નવસારી: બસ ડેપોમાં ઘૂસેલી બસે સર્જ્યો આકસ્માત, ત્રણના ઘટના સ્થળે જ મોત

સ્નેહલ પટેલ/નવસારી: નવસારીમાં બસ ચાલકે વિચિત્ર રીતે ગંભીર અકસ્માત સર્જ્યો છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે 5-6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ઘટના સ્થળ પર જ 2 લોકોના મોત થયા હતા. જ્યારે 1 વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. 

સલામત સવારી બની મોતની સવારી 
મળી રહેલી માહિતી અનુસાર નવસારીમાં મોડી સાજે એસટી બસે બસ ડેપોમાં જ ગંભીર અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. સાંજના સમયે મુસાફરો બસની રાહ જોઇ રહ્યા હતા તે સમયે અચાનક મોત બનીને આવેલી જીજે18 વાય 6575 નંબરની એસટી બસ અચાનક ધડાકાભેર પ્લેટફોર્મ પર ચઢી ગઈ. અને બસની રાહ જોઇ રહેલા મુસાફરોને કચડી નાખ્યા હતા.

બસની બ્રેક ફ્લ હોવાથી થયો અકસ્માત 
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારી સહિતનો કાફલો નવસારી ડેપોમાં આવી ગયો હતો. ઈજાગ્રસ્ત લોકોને તત્કાલીન સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે, કે બસની બ્રેક ફેલ થઇ જતા ડ્રાયવરે બસ પ્લેટફોર્મ પર ચડાવી દીધી હતી. અને આ અકસ્માત સર્જાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news