અમદાવાદમાં કરણી સેનાએ કરી શાંતિની અપિલ, જામનગરમાં રીલિઝ નહીં થાય પદ્માવત

જામનગરમાં જિલ્લા કલેક્ટરે સિનેમાઘરના માલિકો અને કરણી સેના સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સિનેમાઘરોના માલિકોએ પદ્માવત ફિલ્મ રીલિઝ નહીં કરે તેવી ખાતરી આપી છે. 

 

  અમદાવાદમાં કરણી સેનાએ કરી શાંતિની અપિલ, જામનગરમાં રીલિઝ નહીં થાય પદ્માવત

 

અમદાવાદ/જામનગરઃ પદ્માવત ફિલ્મને લઈને રાજપુત સમાજ નારાજ છે. ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ કરણી સેના અને રાજપુત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં ગુજરાત રાજપુત કરણી સેના દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકો શાંતિ બનાવી રાખે. કરણી સેનાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં થયેલી પીટીશનને ધ્યાનમાં રાખીને લોકો શાંતિ રાખે. આ સાથે જ ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા મલ્ટીપ્લેક્ષ અને સિનેમાગૃહોના માલિકો પર આક્ષેપ કરતા જણાવ્યું કે તે લોકો પદ્માવત ફિલ્મ રીલિઝ કરીને ગુજરાતની શાંતિને ભંગ કરવા ઈચ્છે છે. ગુજરાત રાજપુત કરણી સેનાના અધ્યક્ષે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, ફિલ્મ રીલિઝના દિવસે રાજપુતો અને લોકો દ્વારા ઈતિહાસ રચવામાં આવશે. 

જામનગરમાં રીલિઝ નહીં થાય પદ્માવત 

જામનગરના કલેક્ટરે સોમવારે (22 જાન્યુઆરી) કરણિ સેના અને સિનેમાઘરોના માલિકો વચ્ચે બેઠક યોજી હતી. આ બેઠકમાં સિનેમાઘરોના માલિકોએ ખાતરી આપી કે તેઓ આ ફિલ્મને રીલિઝ નહીં કરે. ત્યારબાદ કરણી સેનાએ પણ જણાવ્યું કે હવે જામનગરમાં આ ફિલ્મને લઈને કોઈ વિરોધ કરવામાં આવશે નહીં. આ બેઠકમાં રાજપુત કરણી સેના, તેમજ ક્ષત્રિય સમાજના લોકો,  સમાજના અગ્રણીઓ અને તમામ સિનેમાઘરોના માલિકો હાજર રહ્યાં હતા. કરણી સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે, કોઈપણ જગ્યાએ તોફાન, આગચાંપી, ટ્રાફિક જામ કે સરકારી સંપતિને નુકશાન થાય તેવા કાર્યો કરવા નહીં. શહેરમાં શાંતિ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આ સાથે જ જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ અપીલ કરવામાં આવી છે. 

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news