પાણી ન મળ્યું તો ગટગટાવી લીધી ઝેરી દવા! સુરતનો શોકિંગ કિસ્સો

સુરત એરપોર્ટ નજીક સાયલન્ટ ઝોનમાંથી એક ખેડૂત દંપતી બેભાન હાલતમાં મળી આવ્યું હતું

પાણી ન મળ્યું તો ગટગટાવી લીધી ઝેરી દવા! સુરતનો શોકિંગ કિસ્સો

સુરત : હાલમાં સુરતમાં એક ચોંકાવનારો આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં સુરત એરપોર્ટ નજીક સાયલન્ટ ઝોનમાંથી એક ખેડૂત દંપતી બેભાન હાલતમાં મળી આવ્યું હતું. આ મામલે વધારે તપાસ કરતા દંપતિ જયેશભાઈ અને રીટાબહેને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ વધારે તપાસ કરી રહી છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો ઓલપાડના કપાસી ગામ ખાતે રહેતા 45 વર્ષીય જયેશ મણીલાલ પટેલ ડાંગરની ખેતી કરીને જીવનનિર્વાહ કરતા હતા. જયેશભાઈની એક નજીકની વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે જયેશભાઈ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. પત્ની ઘરકામ કરતી હતી. જયેશભાઈ ગામમાં જ ડાંગરની ખેતી કરતા હતા. ડાંગરની ખેતીમાં પાણીની ખૂબ જ જરૂરીયાત રહે છે. જોકે, કપાસી ગામમાં નહેરનું પાણી પહોંચ્યું ન હતું. જેથી ટેન્કર મારફતે પાણી મગાવવું પડતો હતું. તેમનો ડાંગરનો પાક નિષ્ફળ થઈ ગયો હતો. જયેશભાઈએ ખેતી માટે ચાર વખત બોર ખોદાવ્યા પણ એકપણ બોરમાંથી પાણી ન નીકળતા તમામ પૈસાનું પાણી થઈ ગયું હતું. 

જયેશભાઈ અને રીટાબહેન એક દીકરા અને એક દીકરીના માતા-પિતા હતા. તેમના અચાનક મૃત્યુના પગલે સંતાનોની હાલત ડામાડોળ થઈ ગઈ છે. હાલમાં તેમના દીકરાએ 12મા ધોરણની પરીક્ષા આપી છે અને આ સંજોગોમાં જ આર્થિક દબાણના કારણે માતા-પિતાએ આ ઉતાવળીયું પગલું ભરી લેતા પરિવાર વિખાઈ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news