હિજાબ વિવાદની સુરતમાં એન્ટ્રી: પી પી સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં વિવાદ, 12 કાર્યકરોની અટકાયત

આ ઘટનામાં વિવાદ વધુ વકરે નહીં તેના કારણે પોલીસ તાબડતોડ રીતે ઘટના સ્થળે પહોંચી હતી, અને હિન્દુ સંગઠનોના 12 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. સુરતની પીપી સવાની સ્કૂલમાં ફાટી નીકળેલો હિજાબ વિવાદમાં હિન્દુ સંગઠનોએ માંગણી કરી હતી કે આ પ્રકારે તેઓ અહીં હિજાબ પહેરીને શાળામાં ન આવી શકે.

 હિજાબ વિવાદની સુરતમાં એન્ટ્રી: પી પી સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં વિવાદ, 12 કાર્યકરોની અટકાયત

ચેતન પટેલ/સુરત: ગુજરાતમાં ફરી હિજાબ વિવાદ વકર્યો છે. આજે સુરતમાં હિજાબને લઈ ફરી વિરોધ જોવા મળી રહ્યો છે. કાપોદ્રાની પી પી સવાણી સ્કૂલમાં હિજાબને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. આજે પરીક્ષા હોવાથી બહારથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. ત્યારે હિજાબ વિવાદમાં હિન્દૂ સગઠન દ્વારા વિરોધ કરાયો છે. કેટલીક યુવતીઓ હિજાબમાં પરીક્ષા આપવા માટે આવી હતી. ત્યારે હિન્દૂ સગઠન દ્વારા વિરોધ કરાયો છે. આ ઘટનામાં છેલ્લે મળતી માહિતી પ્રમાણે આ ઘટનાને લઈને પોલીસ પહોંચી હતી અને 12 જેટલા હિન્દુ સગઠનના કાર્યકરોની અટકાયત કરી હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કર્ણાટકનો હિજાબ વિવાદ વધુ ગરમાઈ રહ્યો છે, જેના પડઘા હવે ગુજરાતમાં શરૂ થયા છે. આજે સુરતના વરાછામાં કાપોદ્રાની પી પી સવાણી સ્કૂલમાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર ભેગા થઈ ગયા અને વિરોધ કરતા જોવા મળ્યા હતા. 

જયરાજસિંહ પરમારનો ભાજપમાં વિધિવત પ્રવેશ, C.R. પાટીલે ખેસ પહેરાવ્યો

આ ઘટનામાં વિવાદ વધુ વકરે નહીં તેના કારણે પોલીસ તાબડતોડ રીતે ઘટના સ્થળે પહોંચી હતી, અને હિન્દુ સંગઠનોના 12 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. સુરતની પીપી સવાની સ્કૂલમાં ફાટી નીકળેલો હિજાબ વિવાદમાં હિન્દુ સંગઠનોએ માંગણી કરી હતી કે આ પ્રકારે તેઓ અહીં હિજાબ પહેરીને શાળામાં ન આવી શકે. ત્યારબાદ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ કરાયો હતો. દેશભરની અંદરનો મુદ્દો ખૂબ જ ઉગ્ર રીતે ચર્ચામાં આવી રહ્યો છે. 

કર્ણાટકના હિજાબ વિવાદની ગુજરાતમાં એન્ટ્રી, સોશિયલ મીડિયામાં ફરતા થયા પોસ્ટર, તંત્રમાં ફાળ પડી

મહત્વનું છે કે, અગાઉ પણ ગુજરાતમાં હિજાબ વિવાદની સુરતથી એન્ટ્રી થઇ ગઈ છે. સુરતમાં અગાઉ સોશિયલ મીડીયામાં એક પોસ્ટર ફરી રહ્યું હતું. જેમાં હિજાબ મામલે રેલીનું આહવાન કરાઇ રહ્યું હતું. સોશિયલ મીડીયામાં ફરતા પોસ્ટરોથી તંત્રની ચિંતામાં વધારો થયો હતો. હાલ ગુજરાતી વિદ્યાર્થીઓનો એક જ મત શિક્ષણમાં આવું થવું જોઇએ. હિજાબ V/S કેસરી ખેસ શિક્ષણના ધામમાં ન જોઇએ. બોર્ડર પર સૈનિક કોઈ ધર્મને જોઈને સુરક્ષા કરતો નથી. તો અહીં શિક્ષણમાં આવું કેમ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news