ભાવનગરમાં ઉથલપાથલ: તળાજા પાલિકામાં 25 વર્ષ બાદ ભાજપનો પરાજય, ગોંડલમાં હાઇવોલ્ટેજ ડ્રામા

તળાજા નગરપાલિકામાં 25 વર્ષ બાદ કોંગ્રેસ સત્તા પર પરત ફર્યું છે. નગરપાલિકામાં ભાજપનો 25 વર્ષબાદ પરાજય થતા ભાજપમાં સોપો પડી ગયો છે. જો કે ભાજપના જ આંતરિક સુત્રો અનુસાર અતિઆત્મવિશ્વાસ જ ભાજપને ભારે પડ્યો છે. ભાજપના કેટલાક મહત્વના ઉમેદવારો અને કાર્યકરો વારંવાર અન્યાયને પગલે કોંગ્રેસમાં જતા રહ્યા છતા, સ્થાનિક આગેવાનોએ ધ્યાન આપ્યું નહોતું. 

ભાવનગરમાં ઉથલપાથલ: તળાજા પાલિકામાં 25 વર્ષ બાદ ભાજપનો પરાજય, ગોંડલમાં હાઇવોલ્ટેજ ડ્રામા

ભાવનગર : તળાજા નગરપાલિકામાં 25 વર્ષ બાદ કોંગ્રેસ સત્તા પર પરત ફર્યું છે. નગરપાલિકામાં ભાજપનો 25 વર્ષબાદ પરાજય થતા ભાજપમાં સોપો પડી ગયો છે. જો કે ભાજપના જ આંતરિક સુત્રો અનુસાર અતિઆત્મવિશ્વાસ જ ભાજપને ભારે પડ્યો છે. ભાજપના કેટલાક મહત્વના ઉમેદવારો અને કાર્યકરો વારંવાર અન્યાયને પગલે કોંગ્રેસમાં જતા રહ્યા છતા, સ્થાનિક આગેવાનોએ ધ્યાન આપ્યું નહોતું. 

જેના પગલે નગરપાલિકામાં તળાજા શહેર પ્રમુક તરીકે જેને જીત મેળવી તે વીનુ વેગડે પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા શક્તિસિંહ વાળા પણ ભાજપમાંથી જ કોંગ્રેસમાં આવ્યા હતા. જેથી ભાજપને અતિ આત્મવિશ્વાસ મોંઘો પડ્યો તેમ કહી શકાય.

તો બીજી તરફ શિહોર નગરપાલિકામાં વિચિત્ર ગુંચવાડો ઉત્પન્ન થયો છે. નગરપાલિકાના ઉપપ્રમુખે ચૂંટાયાની ગણત્રીની કલાકોમાં રાજીનામું ધરી દીધું છે. પાંચ ટર્મથી ઉપપ્રમુખ પદે રહી ચુકેલા ચતુર રાઠોડ ફરી ચૂંટાતા રાજીનામું આપ્યું. ઉપપ્રમુખ ચતુર રાઠોડ સાથે 100થી વધારે કાર્યકરો પણ જોડાયા હતા. ભાજપના નગરસેવિકાના પતિ પ્રદ્યુમનસિંહ ગોહિલ પણ તેની સાથે જોવા મળ્યા હતા. આ ઘટનાક્રમ બાદ કોઇ મોટી નવા જુનીના એંધાણની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news