Health Tips: ઉનાળામાં તરબૂચ ખાવાથી થશે અનેક ફાયદા, અનેક તકલીફોથી બચાવશે તરબૂચ

તરબૂચ ત્વચામાં કોલેજનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. જેનાથી તમારી ત્વચાની ચમકમાં સુધારો આવે છે અને ચહેરા પર કસાવટ આવે છે. તરબૂચ ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીર માં પાણી ની અછત રહેતી નથી..જાણો તરબૂચ ખાવના  ફાયદા

Health Tips: ઉનાળામાં તરબૂચ ખાવાથી થશે અનેક ફાયદા, અનેક તકલીફોથી બચાવશે તરબૂચ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તરબૂચ શરીર માટે ખુબ જ ગુણકારી ફળ છે. ઉનાળામાં તરબૂચ આપણા ઘર માં લવાતું એક ફળ છે. પરંતુ તો પણ આપણે આના ફાયદા વિશે જાણતા નથી. તરબૂચ માં બીટા કેરોટીન અને લાઈકોપીન મેળવવા માં આવે છે. જેનાથી આંખ સ્વસ્થ રહે છે. તરબૂચ માં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર અને વિટામીન એ, વિટામીન બી અને વિટામીન સી, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ ખનીજ સારી માત્રા માં મેળવવામાં આવે છે.

1- તરબૂચ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશય તેમજ ફેફસા નું કેન્સર થવાની સંભાવના ઓછી થઇ જાય છે. તરબૂચ ખાવાથી શરીર ને પોટેશિયમ, વિટામીન બી, વિટામીન સી, બીટા કેરોટીન તેમજ મેગ્નેશિયમ ભરપુર માત્રા માં મળે છે જે તમારા શરીર માં ઉર્જા ના સ્તર ને બનાવી રાખે છે.તરબૂચ માં વધારે માત્રા માં પાણી હોય છે જે પરસેવા ના રૂપ માં અતિરિક્ત તરલ ને શરીર ની બહાર કરે છે. જેનાથી ઉનાળામાં તમારું શરીર ઠંડુ રહે છે.

2- તરબૂચ માં મેળવવા માં આવતા કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડીયમ શરીર અને ત્વચા બંને ને હાઈડ્રેટેડ રાખવામાં કામ કરે છે. તરબૂચ માં મેળવવામાં આવતું પોટેશિયમ, મેગ્નેશિયમ અને અમીનો એસીડ રક્ત વાહિકાઓને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને રક્ત ની ગતિ ને નિયંત્રિત કરે છે. જેનાથી રક્તચાપ સારું રહે છે.

3- તરબૂચ ખાવાથી મગજ શાંત રહે છે અને ગુસ્સો ઓછો આવે છે. રિયલ માં તરબૂચ ની તાસીર ઠંડી હોય છે તેથી આ મગજ ને શાંત રાખે છે. તરબૂચ ના બીજ પણ ઘણા ઉપયોગી છે. બીજ ને પીસીને ચહેરા પર લગાવવાથી સુંદરતા આવે છે. સાથે જ આનો લેપ માથા ના દુખાવા માં પણ આરામ આપે છે.

4- હૃદય સંબધી બીમારીઓ ને રોકવા માં પણ તરબૂચ એક રામબાણ ઉપાય છે. આ હૃદય સંબંધી બીમારીઓ ને દુર રાખે છે. હકીકતમાં આ કોલેસ્ટ્રોલ ના લેવલ ને નિયંત્રિત કરે છે જેનાથી આ બીમારીઓ નો ખતરો ઓછો થઇ જાય છે. વિટામીન વધારાની પ્રચુત માત્રા હોવાને કારણે આ શરીર ની ઈમ્યુન સીસ્ટમ ને પણ સારી રાખે છે. તેમજ વિટામીન એ આંખ માટે સારું છે.

તરબૂચમાં 90% પાણી છે, જે તેને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે.

1-બળતરા ઘટાડે છે:
તરબૂચ લાયકોપીન (એન્ટીઑકિસડન્ટો)નો સારો સ્રોત છે જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

2-બેલેન્સનું ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ કરે છે:
એવું કહેવામાં આવે છે કે તરબૂચની સ્લાઇસીસ અથવા જ્યુલીસ સ્પોર્ટ્સના ખેલાડીઓને ગરમીને કારણે તેમના શરીરના ઇમબેલેન્સ થતા ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવામાં મદદ કરે છે છે. તે સોડિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે.

3-શરીર હાઈડ્રેટ રાખે:
તરબૂચમાં 90% પાણી છે, જે તેને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે. તે એક કુદરતી સ્રોત છે, તે કિડની પર ભાર મૂક્યા વગર પેશાબમાં વધારો કરે છે.

4-સ્નાયુના દુખાવાનો ઘટાડો:
તરબૂચમાં એમિનો એસિડ સરટ્યુલીન (લેક્ટિક એસીડ દૂર કરવાની પ્રક્રિયા જે કસરતની હાઇ ઇન્ટેનસ દરમિયાન બને છે) હોય છે જે સ્નાયુને દુખાવાથી રાહત આપવામાં મદદ કરે છે.

5-ત્વચાના ટેક્સ્ચરમાં સુધારો:
તરબૂચ કોલેજન સિન્થેસિસ માટે જરૂરી ન્યુટ્રીઅન્ટ એવા વિટામિન સી નો સારો સ્રોત છે. (કોલેજન ત્વચાની ઇલેસ્ટિસિટી જાળવી રાખે છે અને વાળને મજબૂત બનાવે છે).

6-વજનમાં ઘટાડોઃ
પાણીનું વધારે પ્રમાણ હોવાના કારણે, તડબૂચ તમને ઓછી કેલરીમાં પણ તૃપ્ત કરે છે. પાણી મેટાબોલિઝમની ઝડપમાં વધારો કરે છે અને ઝેર અને ચરબીનો નિકાલ કરે છે, જે આખરે વજન ઘટાડે છે.

7-હીટ સ્ટ્રોક થતો અટકાવે છે:
તડબૂચ એ થોડા ફળોમાંથી એક છે જે ગરમી દૂર કરે અને તરસ મટાડે છે. તે હીટ એક્ઝોશનને પણ દૂર કરે છે, જેના માટે તડબૂચની છાલને ઉપયોગમાં લેવાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news