Bihar Result : 'મોદી મેજિક' એ તેજસ્વીનું સપનું રોળી નાખ્યું, આ રહ્યા NDA ની જીતના 5 કારણ 

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. એનડીએની જીતના સૌથી મોટા નાયક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા અને મોદી મેજિકે તેજસ્વી યાદવનું મુખ્યમંત્રી બનવાનું સપનું રોળી નાખ્યું. 

Bihar Result : 'મોદી મેજિક' એ તેજસ્વીનું સપનું રોળી નાખ્યું, આ રહ્યા NDA ની જીતના 5 કારણ 

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. એનડીએની જીતના સૌથી મોટા નાયક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા અને મોદી મેજિકે તેજસ્વી યાદવનું મુખ્યમંત્રી બનવાનું સપનું રોળી નાખ્યું. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4  બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 19 બેઠકો પર, ભાકપા માલેએ 12 બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ 2-2 બેઠકો પર જીત મેળવી છે. 

ફરી જોવા મળ્યો મોદી મેજિક
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરીથી મોદી મેજિકે(Modi Magic)  કામ કર્યું. 15 વર્ષથી સતત બિહારમાં નીતિશકુમારની સરકાર છે, આવામાં જનતાને સરકાર પાસેથી જે થોડી ઘણી નારાજગી હતી તેને પણ બ્રાન્ડ મોદી(Brand Modi)એ ખતમ કરી દીધી. 

NDA ની જીતના 5 મહત્વના કારણો

1. જ્યારે લોકો તેજસ્વી યાદવની રેલીઓ જોઈને ચૂંટણીમાં જીત-હારનો અંદાજો લગાવી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ બિહારમાં 12 રેલીઓ કરીને ભરોસો વ્યક્ત કર્યો કે જીત સુશાસનના અનુભવની થશે. 
2. નરેન્દ્ર મોદીએ તેજસ્વીને જંગલરાજના યુવરાજ ગણાવતા બિહારને લાલુ યાદવના 15 વર્ષના જંગલરાજની યાદ પણ અપાવી અને પરિવારવાદની ટક્કરમાં વિકાસવાદ ઊભો કર્યો.
3. પીએમ નરેન્દ્ર મોદીએ બિહારને વિકાસવાદના મુદ્દા સાથે જોડ્યો. ડબલ યુવરાજની સરખામણીએ ડબલ એન્જિનનો નારો આપ્યો અને ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન પર ભરોસો વધાર્યો. 
4. બિહારમાં નીતિશ સરકાર વિરોધી લહેરને નરેન્દ્ર મોદીએ બેઅસર કરી નાખી અને રોજગારીના ભરોસા સાથે બિહારને જણાવ્યું કે વિપક્ષને ભારતમાતા કી જય અને જય શ્રીરામના નારાથી કેમ ડર લાગે છે?
5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષના દરેક સવાલનો જવાબ આપ્યો અને કેન્દ્રની યોજનાઓ દ્વારા મળેલા લાભના કારણે પણ એનડીએના પક્ષમાં  ભારે મતદાન થયું. 

બિહારમાં જીત એટલે સરકારના કામ પર મહોર
બિહાર ચૂંટણી(Bihar election results 2020)એ ફરીથી એકવાર સાબિત કરી દીધુ કે ભારતમાં ભરોસાની રાજનીતિના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્ર મોદી (Narendra Modi) છે. બિહારમાં ચૂંટણી રેલીઓમાં મોદીએ જે કહ્યું તેના પર લોકોએ  તેમને મત આપ્યા. ભાજપ ભલે નીતિશના નેતૃત્વમાં ચૂંટણી લડ્યો પરંતુ સમગ્ર ચૂંટણીનું નેતૃત્વ પીએમ મોદી જ કરતા હતા. બિહાર ચૂંટણીમાં ભાજપની જીત કોરોના સમયે મોદી સરકારે કરેલી કામગીરી પર મહોર છે. ચીનના ઘમંડની ગરદન તોડ્યા બાદ પહેલો જનમત છે અને આત્મનિર્ભર ભારતના અભિયાન પર વિજય દસ્તક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news