લોકોને ઉશ્કેરવા કયો રાજધર્મ છે? સોનિયા ગાંધીને BJPને સવાલ

દિલ્હીમાં હિંસા (Delhi Violence)ને લઇને સોનિયા ગાંધી (sonia gandhi) અને અન્ય કોંગ્રેસ નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને લઇને ભાજપ (BJP)એ શુક્રવારે કોંગ્રેસ પર અકાર પ્રકાર કર્યા. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi shankar prasad) એ કહ્યું કે 'દિલ્હીમાં શાંતિ જોઇએ અને કોંગ્રેસ રાજધર્મના નામ પર દેશમાં ઉત્તેજના ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે. 

લોકોને ઉશ્કેરવા કયો રાજધર્મ છે? સોનિયા ગાંધીને BJPને સવાલ

નવી દિલ્હી: દિલ્હીમાં હિંસા (Delhi Violence)ને લઇને સોનિયા ગાંધી (sonia gandhi) અને અન્ય કોંગ્રેસ નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને લઇને ભાજપ (BJP)એ શુક્રવારે કોંગ્રેસ પર અકાર પ્રકાર કર્યા. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi shankar prasad) એ કહ્યું કે 'દિલ્હીમાં શાંતિ જોઇએ અને કોંગ્રેસ રાજધર્મના નામ પર દેશમાં ઉત્તેજના ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે. 

રવિશંકર પ્રસાદે કહ્યું કે 'આ સમય શાંતિ માટે હાથ વધારવાનો સમય છે. આ સમય ઉત્તેજના ફેલાવવાનો નથી પરંતુ કોંગ્રેસ પાર્ટીના સ્વર જે ડિસેમ્બરમાં આરપારનો હતો અને એ જ સ્વર આજે પણ છે, તેનું કારણ એ છે કે કોંગ્રેસ પોતાની હાર ભૂલી શકતી નથી. 

તેમણે કહ્યું કે સોનિયાજી મને તમને એક વાત પૂછવી છે કે જ્યારે શાહીન બાગમાં બાળકોને વડાપ્રધાન વિરૂદ્ધ હિંસા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા હતા, ત્યારે પણ ચૂપ હતી, શું તમારી પાર્ટીએ એ પણ કહેવાની જરૂર નથી. અમે તેમનું કરતા નથી?

તો બીજી તરફ નેતા કપિલ મિશ્રા અને સાંસદ પ્રવેશ વર્મા વિવાદિત નિવેદનો પર તેમણે કહ્યું કે ભાજપ આવા નિવેદનોનું સમર્થન કરતી નથી. 

તમને જણાવી દઇએ કે સોનિયા ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. સોનિયા ગાંધીએ સીડબલ્યૂસીના નિવેદનને વાંચીને સંભળાવ્યું જેમાં કહેવામાં આવ્યું, ''સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સીડબલ્યૂસીનો દ્વઢ મત છે કે દિલ્હીમાં જે કંઇક થયું છે તે કર્તવ્યની એક મોટી નિષ્ફળતા છે, જેના માટે પૂરી જવાબદારી કેન્દ્ર સરકાર, વિશેષરૂપથી ગૃહ મંત્રીને વહન કરવી જોઇએ અને ગૃહ મંત્રીને રાજીનામું આપવા માટે કહેવું જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news