સમગ્ર દેશમાં કોરોના વોરિયર્સને ભારતીય સેનાની સલામી, વિમાનથી કરી પુષ્પવર્ષા

કોરોના સંકટના કાળમાં ખુદની જિંદગીને દાવ પર લગાવીને લોકોની જિંદગી બચાવનાર કોરોના વોરિયર્સને સેના નમન કરી રહી છે. 3 મેએ દેશભરમાં ત્રણેય સેના કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરી રહી છે. 
 

સમગ્ર દેશમાં કોરોના વોરિયર્સને ભારતીય સેનાની સલામી, વિમાનથી કરી પુષ્પવર્ષા

નવી દિલ્હીઃ કોરોનાના કર્મવીરોને આજે સરહદના શૂરવીર સલામી આપી રહ્યાં છે. સેનાની ત્રણેય પાંખના જવાન કોરોનાને પરાજય આપવામાં લાગેલા હજારો ડૉક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મી અને બીજા ફ્રંટલાઇન યોદ્ધાઓ પ્રત્યે આભાર પ્રગટ કરતા તેના પર પુષ્પ વર્ષા કરશે. આ અણમોલ નજારો આજે હિન્દુસ્તાનમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી જોવા મળશે. દિલ્હીના પોલીસ વોર મેમોરિયલમાં સલામી આપતા આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. 

— ANI (@ANI) May 3, 2020

કોરોના વિરુદ્ધ જંગ લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે મુંબઈમાં SU-30નું ફ્લાઇ પાસ્ટ. 
 

— ANI (@ANI) May 3, 2020

દિલ્હીઃ કોરોના વિરુદ્ધ જંગમાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કર્સને ભારતીય વાયુસેનાની સલામી. 

— ANI (@ANI) May 3, 2020

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં કલિંગા ઇસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ પર ઈન્ડિયન એરફોર્સની ફ્લાઇ પાસ્ટ અને પુષ્પવર્ષા.

— ANI (@ANI) May 3, 2020

વીડિયોઃ કોરોના વિરુદ્ધ જારી જંગમાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે પણજીમાં ગોવા મેડિકલ કોલેજ પર ઈન્ડિયન નેવીના ચોપરે પુષ્પવર્ષા કરી. 
 

— ANI (@ANI) May 3, 2020

હરિયાણાના પંચકૂલામાં સરકારી હોસ્પિટલ પર ભારતીય વાયુસેનાના ચોપરનું ફ્લાઇ પાસ્ટ અને હોસ્પિટલની બહાર ભારતીય સેનાનું બેન્ડ પરફોર્મંસ.

— ANI (@ANI) May 3, 2020

— ANI (@ANI) May 3, 2020

આકાશમાં વાયુસેનાની ફ્લાઈ પાસ્ટ
પ્રથમ ફ્લાઇ પાસ્ટ શ્રીનગરથી ત્રિવેન્દ્રમ સુધી થશે જ્યારે બીજી ફ્લાઇ પાસ્ટ ડિબ્રુગઢથી કચ્છ સુધી કરવામાં આવશે. ભારતીય વાયુ સેનાના ટ્રાન્સપોર્ટ વિમાન અને ફાઇટર જેટ આ ફ્લાઇ પાસ્ટમાં સામેલ થશે. નેવીના હેલીકોપ્ટર કોરોના હોસ્પિટલો પર આકાશથી ફુલ વરવાવશે. ઈન્ડિયન આર્મી દેશભરમાં આશરે તમામ જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં માઉન્ટેન બ્રેન્ડ પર્ફોર્મંસ આપશે. નૌસેનાના લડાકૂ જહાજ બપોરે 3 કલાક બાદ રોશન જોવા મળશે. પોલીસ દળોના સન્માનમાં સશસ્ત્રદળ પોલીસ મેમોરિયલ પર પુષ્પાંજલિ કરશે. 

દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હવામાનમાં પલટો આવવાને કારણે અને વરસાદને લીધો કોરોના વોરિયર્સના સન્માનમાં આયોજીત થનારા એરફોર્સના સલામી કાર્યક્રમ 1 કલાક મોડો આયોજીત કરવામાં આવશે. હવે તેનું આયોજન 11 વાગ્યે કરવામાં આવશે. એરફોર્સે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news