કર્ણાટક: બાગલકોટમાં સુગર ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત, 5 ઘાયલ

કર્ણાટમાં એક સુગર મિલમાં થયેલા બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ બ્લાસ્ટ રાજ્યના બાગલકોટ જિલ્લાના મુધૂલ વિસ્તારની નારાની સુગર મિલમાં થયો છે.

કર્ણાટક: બાગલકોટમાં સુગર ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત, 5 ઘાયલ

નવી દિલ્હી: કર્ણાટમાં એક સુગર મિલમાં થયેલા બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે આ બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ પણ થયા છે. રાજ્યના બાગલકોટ જિલ્લાના મુધૂલ વિસ્તારની નારાની સુગર મિલમાં આ બ્લાસ્ટ થયો છે.

— ANI (@ANI) December 16, 2018

સુગર મિલના બોઇલર બ્લાસ્ટથી આ ઘટના બની છે. બ્લાસ્ટમાં ગંભીર રીતેથી ઘાયલ થયેલા 5 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ દુર્ઘટના સમયે 7 મજૂર કામ કરી રહ્યાં હતા. વિસ્ફોટથી આખી શુગર મિલની ઈમારત ધરાશાયી થઈ ગઈ. આ ફેક્ટરી ભાજપના ધારાસભ્ય અને કર્ણાટકના પૂર્વ મંત્રી મુર્ગેશ નિરાનીની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news