મહારાષ્ટ્ર: સુપ્રીમના ચુકાદા પહેલાં ટ્રાઇડેંટ હોટલ પહોંચ્યા અજિત પવાર, ભૂપેંદ્વ યાદવ હોટલમાં જોવા મળ્યા

આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યમાં ફ્લોર ટેસ્ટને લઇને આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા સંભળાવવામાં આવનાર ચુકાદા પહેલાં એનસીપી નેતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવાર ચર્ચગેટ સ્થિત પોતાના ઘરેથી સવારે નિકળતા જોવા મળ્યા હતા. 

મહારાષ્ટ્ર: સુપ્રીમના ચુકાદા પહેલાં ટ્રાઇડેંટ હોટલ પહોંચ્યા અજિત પવાર, ભૂપેંદ્વ યાદવ હોટલમાં જોવા મળ્યા

નવી દિલ્હી: આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યમાં ફ્લોર ટેસ્ટને લઇને આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા સંભળાવવામાં આવનાર ચુકાદા પહેલાં એનસીપી નેતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવાર ચર્ચગેટ સ્થિત પોતાના ઘરેથી સવારે નિકળતા જોવા મળ્યા હતા. ત્યાંથી તે ટ્રાઇડેંટ હોટલ ગયા. આ હોટલમાં પહેલાંથી જ ભાજપ દ્વારા મહરાષ્ટ્રના પ્રભારી ભૂપેંદ્વ યાદવ હાજર હતા. 

જાણકારી અનુસાર સવારે અજીત પવાર ટ્રાઇડેંટ હોતલ માટે પોતાના ઘરેથી નિકળ્યા. આ પહેલાં થોડા સમય બાદ ટ્રાઇડેંટ હોટલની અંદરથી આવેલા ફોટામાં ભાજપના મહારાષ્ટ્રના પ્રભારી ભૂપેંદ્વ યાદવ થોડા સમય પહેલાં નાસ્તો કરી રહ્યા હતા. આ બંને વચ્ચે કોઇ મીંટીંગ થઇ છે કે નહી તે અંગે કોઇ જાણકારી મળી શકી નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પર ચૂકાદો મંગળવારે સવારે 10:30 વાગે સંભળાવશે. કોર્ટમાં સરકાર દ્વારા સોલિસિટર તુષાર મહેતા રજૂ થયા. તેમણે કોર્ટને કહ્યું કે તે ભાજપને એનસીપી (NCP) દ્વારા આપવામાં આવેલો સમર્થન પત્ર લઇને આવ્યા છે. જેના આધાર પર રાજ્યપાલે નિર્ણય કર્યો.  

તુષાર મહેતાએ કહ્યું કે પત્રમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અજિત પવારે એનસીપીના 54 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર હસ્તાક્ષર સાથે રાજ્યપાલને સોંપ્યો હતો. તેમણે આગળ કહ્યું 'અજીત પવાર દ્વારા 22 નવેમ્બરના રોજ એક પત્ર બાદ જ દેવેદ્વ ફડણવીસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, આ સાથે જ પત્રમાં 11 અપક્ષ અને અન્ય ધારાસભ્યોના સમર્થન પત્ર પણ સંલગ્ન હતા. 

288 સભ્ય સદનમાં ભાજપના 105 ધારાસભ્ય છે, તો બીની તરફ એનસીપીએ 54 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અન્ય 11 અપક્ષ ધારાસભ્યોના સમર્થન બાદ તેમની પાસે 170 ધારાસભ્યો ધારાસભ્યોની સંખ્યા છે. આ સાથે જ તુષાર મહેતાએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણયની ન્યાયિક સમીક્ષા પર વાંધો વ્યક્ત કર્યો. તુષાર મહેતાએ આગળ કહ્યું કે ત્યારબાદ રાષ્ટ્રપાલે રાષ્ટ્રપતિને સૂચના આપી. જાણકારીનો હવાલો આપતાં તેમણે રાષ્ટ્રપતિ પાસે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાનો અનુરોધ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news