અધૂરી લવ સ્ટોરીને પૂરી કરવામાં મદદ કરતા ગણપતિ બાપ્પા, પ્રેમીઓમાં ફેમસ છે આ મંદિર

Ganesh Temple : આજે અમે તમને ગણપતિ બાપ્પા (ganesh chaturthi 2022 ganesh temple) ના એક એવા મંદિર વિશે બતાવીશું, જે પ્રેમી પંખીડાઓ માટે વરદાન રૂપ છે. અહીં મોટી સંખ્યામાં પ્રેમી પંખીડા પ્રેમની અરજી લઈને જાય છે 
 

અધૂરી લવ સ્ટોરીને પૂરી કરવામાં મદદ કરતા ગણપતિ બાપ્પા, પ્રેમીઓમાં ફેમસ છે આ મંદિર

Ganesh Temple : દુંધાળા દેવ ગણપતિના ભક્તો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી છે. ભારતમાં કોઈ ઉત્સવ એવો નથી જેમાં ભગવાન ગણેશની પૂજા ન થાય. દેશભરમાં ગણપતિ બાપ્પાના મંદિરો આવેલા છે. પરંતુ રાજસ્થાનમાં આવેલુ ગણેશ મંદિર એવુ છે કે જે પ્રેમી પંખીડાઓ માટે વરદાનરૂપ છે. અહીં મોટી સંખ્યામાં પ્રેમીઓ મદદ માટે પહોંચે છે અને બાપ્પા તેમની મનોકામના પૂરી કરે છે. 

માનવામાં આવે છે કે, અહીં બાપ્પા પ્રેમી જોડીઓની મદદ કરે છે. અહીં ગણપતિ દાદા સામે અરજી કરવાથી પ્રેમીઓની નૈયા પાર લાગી જાય છે. આ જ કારણે, રાજસ્થાનના આ મંદિરમાં સ્થાપિત ગણેશને ઈશ્કિયા ગણેશ કહેવાય છે. આ મંદિર સાથે જોડાયેલી કથા પણ રોમાંચક છે. 

બાપ્પાના દરબારમાં પહોંચે છે પ્રેમીઓ
આ મંદિરમાં પ્રેમી પંખીડાઓ પોતાની ઈચ્છા પૂરી કરવા આવે છે. તેમને આશા હોય છે કે, અહીં તેમની વાત બાપ્પા જરૂર સાંભળશે, અને અહીં તેમના લગ્ન થશે. આ મંદિરમાં મોટી સંખ્યામાં પ્રેમી પંખીડાઓ હાજરી લગાવે છે. કહેવાય છે કે, અનેક પ્રેમી પંખીડાઓની ઈચ્છા અહી પૂરી થઈ છે. તેથી તેઓ મનોકામના પણ પૂરી કરવા આવશે. આ ગણેશ મંદિરની ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે. દૂર-દૂરથી પ્રેમીઓ પોતાના પાર્ટનર સાથે બાપ્પાના દરબારમાં આવે છે. સાથે જ રાજસ્થાન ફરવા આવતા મુસાફરો પણ આ ઈશ્કિયા ગણેશ મંદિરમાં આવીને શિશ ઝૂકાવે છે. 

100 વર્ષ જૂનુ ગણેશ મંદિર
સ્થાનિક લોકોનું કહેવુ છે કે, જોધપુરમાં ઈશ્કિયા ગણેશ મંદિરની સ્થાપના અંદાજે 100 વર્ષ પહેલા થઈ હતી. જોધપુરની સાંકડી ગલીઓમાં એક ઘરની બહાર ગુરુ ગણપતિ નામના આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ એટલા માટે કરાયુ હતું કે, કોઈ વ્યક્તિ દૂરથી કોઈને સરળતાથી નજર ન આવે. આ જ કારણ હતું કે, અહી પ્રેમી યુગલો ચોરી-છુપીથી પહેલી મુલાકાત માટે આવતા હતા. આ રીતે ધીરે ધીરે આ મંદિર પ્રેમી પંખીડાઓની પહેલી પસંદગી બનતી ગઈ. અહીં યુવક-યુવતીઓ આવવા લાગ્યા. મળવા લાગ્યા. તેઓ ગજાનનને પ્રાર્થના કરીને લગ્નની કામના કરવા લાગ્યા. અને બાદમાં વિવાહ થયા બાદ અહીં આર્શીવાદ લેવા આવતા થયા. આમ રીતે અહીંના બાપ્પા પ્રત્યે ભાવ પ્રકટ થવા લાગ્યો. આ રીતે આ મંદિર ઈશ્કિયા ગણેશ મંદિર તરીકે પ્રખ્યાત થવા લાગ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news