આજે ભાદરવી પૂનમ, શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર; 40 લાખથી વધુ માઈભક્તો કર્યા જગદંબાના દર્શન

આજે ભાદવી પૂનમનો દિવસ. અંબાજીમાં ચાલતા સાત દિવસીય વિશ્વ પ્રસિદ્ધ મેળાનો આજે અંતિમ દિવસ. જાણો કેવો છે આદ્યશક્તિના ધામમાં ભક્તિનો માહોલ...ઝી24કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર મેળવો પળેપળની અપડેટ....

આજે ભાદરવી પૂનમ, શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર; 40 લાખથી વધુ માઈભક્તો કર્યા જગદંબાના દર્શન

ધરા શાહ, અંબાજીઃ કુલ 51 શક્તિપીઠો પૈકી એક એવા મા આદ્યશક્તિ અંબે માના ધામ અંબાજીમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે ભાદરવી પૂનમનો દિવસ છે. આજે આસ્થાનો દિવસ છે. 23 સપ્ટેમ્બરથી કુલ સાત દિવસના મેળાનો પ્રારંભ થયો હતો. આજે વર્ષોથી યોજાતા માં અંબાજીના સાત દિવસીય મેળાનો અંતિમ દિવસ છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે. છેલ્લાં છ દિવસમાં અત્યાર સુધીમાં 40 લાખ કરતા વધુ માઈભક્તોએ આદ્યશક્તિના ધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. કહેવાય છેકે, શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર છે. કંઈક આવા જ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યાં છે. ZEE 24 કલાક પર જુઓ આજે દિવસભર મેળાનું મહાકવરેજ લાઈવ,,,

અંબાજીમાં માતાજી દર્શન કરવા આવતા માઈભક્તોમાં માતાજી માટે અપાર શ્રદ્ધા છે. એટલાં માટે જ લોકો દૂર દૂરથી અહીં પોતાના મનની આશ પુરી કરવા માતાજીના દર્શને આવે છે. જ્યારે કોઈ ધાર્યું કામ પાર પડતા માતાજીના દર્શને આવે છે. તો કોઈ પોતાની બાધા પુરી કરવા અહીં શીશ નમાવવા આવે છે. કોઈ દંડવત કરતા કરતા માતાજીના મંદિરે આવે છે. કોઈ માતાજીની ધજા હાથમાં લઈને માતાજીના મંદિરે આવે છે. કેટલાંય લોકો વર્ષોથી દૂરદૂરથી પગપાળા સંઘમાં માતાજીના મંદિરે આવે છે. લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને માતાજીના દર્શન કરે છે. માતાજીના દર્શનની સાથો સાથ આવખતે અંબાજીમાં ગબ્બર મુકામે નિર્માણ કરાયેલાં 51 શક્તિપીઠોની આબેહૂબ આભાના દર્શન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.

ભાદરવી પૂનમના મેળામાં અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર સતત ઉમટી રહ્યું છે. છેલ્લાં છ દિવસમાં અત્યાર સુધીમાં અંબાજીમાં 40 લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યાં છે. છેલ્લાં છ દિવસોમાં અંબાજીમાં માતાજીના મંદિરે શક્તિના ધામ શક્તિપીઠમાં 3 હજારથી વધુ ધજા ચઢાવવામાં આવી છે. આજે ભાદરવી સુદ પૂર્ણિમાનો મહત્ત્વનો દિવસ છે.  શુક્રવાર હોવાથી હંસની સવારી છે. એકાવન શક્તિપીઠ માંથી માતાજીનો રદય અહીં છે. 
11 મીટર, 21 મીટર, 31 મીટર એવી 52 ગજની ધજા પણ અહીં લોકો ચઢાવતા હોય છે.

માતાજીની પ્રસાદીનું વિશેષ મહત્ત્વઃ
માતાજીના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી આપવામાં આવે છે. સામાન્ય દિવસોમાં દોઢ લાખ જેટલાં પ્રસાદીના પેકેજનું વિતરણ થતું હોય છે. જોકે, હાલ ભાદવા મહિનાના અંબાજીના મેળામાં પ્રસાદી બમણી થઈ જાય છે. હાલ મેળાને કારણે છેલ્લાં છ દિવસથી એક દિવસમાં 3 લાખથી વધારે પ્રસાદીના પેકેટનું વિતરણ થાય છે. એમાંય મેળાનો આજે અંતિમ દિવસ હોવાથી આજે ભાદવી પૂનમ હોવાથી પ્રસાદીના પેકેટનો આંકડો 5 લાખને પાર કરી જાય તો પણ નવાઈ નહીં.

અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂરઃ
છ દિવસમાં 40 લાખ શ્રદ્ધાળુઓએ અંબાજીના દર્શન કર્યા
છ દિવસમાં 15.9 લાખ પ્રસાદીના પેકેટનું વિતરણ કરાયું.
અંબાજી મંદિરમાં દાન ભેટની કુલ આવક 1.89 કરોડ રૂપિયા થઈ

અંબાજીમાં માતાજી કેટલાં સ્વરૂપમાં બિરાજમાન છે?
અંબાજીમાં માતાજી કુલ ત્રણ સ્વરૂપમાં બિરાજમાન છે
સવારે માતાજી બાળા સ્વરૂપે બિરાજે છે
બપોરે માતાજી યુવા સ્વરૂપે બિરાજે છે
સાંજે માતાજી પ્રૌઢ સ્વરૂપે બિરાજે છે

અંબાજીમાં રોજ માતાજીને કેટલાં ભોગ ધરાવાય છે?
અંબાજીમાં માતાજીને રોજ અલગ અલગ સમયે ત્રણ ભોગ ધરાવાય છે
સવારે બાલભોગ
સોનાના થાળમાં રાજભોગ
સાંજો સાંય ભોગ

અંબાજીને આમંત્રણ આપવા આવે છે ભક્તોઃ
પહેલાં લોકો અહીં ચાલતા આવતા હતા. મા જંગદંબાને લોકો પોતાના આપણે પોતાના ઘરે પધારવા આમંત્રણ આપતા હતાં. નવરાત્રિમાં મા જગદંબા લોકોના ઘરે પધારે તેના માટે ભક્તો હાલ તેમને આમંત્રણ આપવા આવી રહ્યાં છે. માં અંબા અહીં ગરબે ગુમે છે. 
આસો અને ચૈત્રી અને બે ગુપ્ત નવરાત્રિ છે. કુલ ચાર નવરાત્રિ હોય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news