Krishna Janmashtami 2023: જન્માષ્ટમીની રાત્રે કરી લો આ જાદુઇ ટોટકા, ધન-સંપત્તિથી ભરેલી રહેશે તિજોરી

Janmashtami Upay: કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુલાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર સમગ્ર ભારતમાં ભગવાન કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાય કરવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Krishna Janmashtami 2023: જન્માષ્ટમીની રાત્રે કરી લો આ જાદુઇ ટોટકા, ધન-સંપત્તિથી ભરેલી રહેશે તિજોરી

Janmashtami 2023 Remedies: ભગવાન કૃષ્ણનો જન્મ કૃષ્ણ પક્ષની આઠમના દિવસે થયો હતો. જન્માષ્ટમીના દિવસે, લોકો ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસની સાથે ભજન અને અનુષ્ઠાનો દ્વારા ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે થયો હતો. તેથી જ આ સમયે શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રાત્રે 12 વાગ્યે કેટલાક ઉપાય કરવાથી સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે. ચાલો જાણીએ જન્માષ્ટમી પર કયા ઉપાય ફળદાયી માનવામાં આવે છે.

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કરો આ ઉપાય
- જન્માષ્ટમીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે સંત ગોપાલ સ્તોત્રનો પાઠ કરો. તેની શરૂઆત કરવા માટે જન્માષ્ટમીથી વધુ કોઈ શુભ દિવસ નથી. તેનાથી સંતાન સુખ જલ્દી પ્રાપ્ત થાય છે.

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્માષ્ટમીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન કૃષ્ણનો અભિષેક કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

- જન્માષ્ટમીના શુભ દિવસે શ્રીકૃષ્ણને નારિયેળ અને 11 બદામ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી અટકી પડેલા તમામ કાર્ય પૂરા થશે. 

- શાસ્ત્રો અનુસાર જન્માષ્ટમીની રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણને કેસર અને દૂધનો અભિષેક કરો. આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

- જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે, તેમને તેમની પ્રિય વસ્તુઓ જેમ કે મોરના પીંછ, ગાયના દૂધમાંથી બનેલી ખીર, પંચામૃત, મીઠાઈઓ, માખણ વગેરે અર્પણ કરવાનું ભૂલશો નહીં.

- શ્રી કૃષ્ણ માખણ મિશ્રીને ખૂબ પસંદ કરે છે, તેમને માખણ અર્પણ કરીને તેઓ વિશેષ આશીર્વાદ વરસાવે છે.

- મેષ રાશિના લોકોએ ગાયના દૂધથી શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ અને પંચામૃત અર્પણ કરવું જોઈએ. તેનાથી પ્રેમ સંબંધોમાં આવતા અવરોધો દૂર થશે.

- જો તમારી આવક વધી નથી રહી અથવા તમને નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું તો જન્માષ્ટમીના દિવસે 7 છોકરીઓને ઘરે બોલાવો અને તેમને ખીર અથવા સફેદ મીઠાઈ ખવડાવો. ત્યારબાદ સતત પાંચ શુક્રવાર સુધી આ કરો. તેનાથી તમને જલ્દી જ નોકરી મળી જશે.

- જન્માષ્ટમીના દિવસે પીળા ચંદન અથવા કેસરને ગુલાબજળમાં ભેળવીને કપાળ પર તિલક કે બિંદી લગાવવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news