ગીર News

સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાતમાં મેઘ કહેર યથાવત્ત: ગીરના જંગલોમાં 2 કલાકમાં 3 ઇંચ
 ગુજરાતમાં મેઘરાજા મહેરબાન નહી પરંતુ ઓળઘોળ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીરના જંગલોથી માંડીને ખાંભા અને ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ઉભાપાકને ભારે નુકસાન થયું છે. થોડા દિવસો ઉઘાડ રહ્યા બાદ ગીરના જંગલમાં બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ખાંભામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. ભાવનગર પંથકમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વિજળી પડવાના કારણે એકનું મોત નિપજ્યું છે. 
Sep 19,2020, 23:41 PM IST
કોરોનાને કારણે ગીરના સિંહો ભૂલાયા, 2 મહિનામાં 25 સિંહોનો મોત
હાલ સમગ્ર વિશ્વમાં હાલ એક જ ચર્ચા છે, કોરોના વાયરસની. આવામાં ગુજરાત પણ કોરોના વાયરસથી પીડિત છે. ત્યારે આ મહામારીમાં ગીરના સિંહો ભૂલાઈ ગયા છે. ગીરના પૂર્વની 2 રેન્જમાં પાછલા 2 મહિનામાં 25 સિંહોના મોત થયા છે. આટલા મોટા આંકડા તરફ હવે સૌનું ધ્યાન ગયું છે. ત્યારે જસાધાર ખાતે જૂનાગઢ ઝુના વેટરનિટી સહિત તમામ ઉચ્ચ અધિકારો દોડતા થઈ ગયા છે. એક સિંહબાળના ભેદી મોત બાદ સમગ્ર વનતંત્ર ઊંધા માથે ફરી રહ્યું છે. નવિભાગે આ વાતને સ્વીકારી છે કે, બે મહિનામાં 25 સિંહોના મોત નિપજ્યા છે. બે દિવસ પહેલા 8 સિંહબાળ અને તેની સાથેના 8 સિંહણોને પણ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જે પૈકી પણ એક સિંહબાળનું મોત નિપજ્યું છે. હાલ આ ઘટનાને પગલે જુનાગઢના  સક્કરબાગ એનિમલ કેર સેન્ટરમાંથી પણ તબીબોની ટુકડીઓ પણ દોડતી થઈ છે. 
Apr 21,2020, 9:26 AM IST

Trending news