મહારાષ્ટ્ર નવનિર્માણ સેના News

તો શું હવે ઠાકરે ચિંધ્યા માર્ગે રાજનીતિ કરશે કોંગ્રેસી કમલનાથ ?
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદ સંભાળતાની સાતે જ કમલનાથનાં નિવેદન પર વિવાદ પેદા થઇ ગયો છે. કમલનાથે આરોપ લગાવ્યો કે મધ્યપ્રદેશની મોટા ભાગની નોકરીઓ ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકો લઇ જાય છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશની 70 ટકા નોકરીઓ અહીંનાં લોકોને મળવી જોઇએ. તેમણે આ નિવેદન સાથે જ સવાલ પેદા થઇ ગયો છે કે શું કોંગ્રેસી કમલનાથ મહારાષ્ટ્રમાં સક્રીય શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રાજનીતિ ચાલુ કરશે. નોકરીઓમાં સ્થાનીક લોકોને પ્રાથમિકતા આપવાની વાત શિવસેના અને મનસે કરતી રહી છે. કમલનાથનાં આ નિવેદન બાદ બિહારનાં નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. રસપ્રદ બાબત છે કે કે કમલનાથ પોતે જ ઉતરપ્રદેશનાં કનાપુરમાં જન્મેલા છે. 
Dec 18,2018, 10:36 AM IST

Trending news