રામ મંદિર ભૂમિ પૂજન News

રામ મંદિર ભૂમિ પૂજન બાદ PM મોદી 500 વર્ષમાં ભારતના સૌથી મોટા નેતા બન્યા: શિવરાજ
અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર ભૂમિ પૂજન (Ram Mandir Bhumi Pujan) તેમજ શિલાન્યાસ થયા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Shauhan)એ બુધવાર (5 ઓગસ્ટ)ના કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 500 વર્ષના ભારતના સૌથી મોટા નેતા બની ગયા છે. ચૌહાણે આ સંબંધમાં ટ્વિટ કરવાની સાથે જ અહીં ચિયારુ હોસ્પિટલમાં કોરોના યોદ્ધાઓથી કહ્યું કે, આજે મારા અને કરોડો દેશવાસીઓ માટે પ્રશંસનીય દિવસ છે. આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર નિર્માણની પાયો (Foundation Stone) નાખવામાં આવ્યો છે. મોદીજીએ દ્રઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પશક્તિનો પરિચય આપ્યો છે. સમગ્ર દેશ તેમનો આભાર માને છે.
Aug 5,2020, 20:32 PM IST
ગુજરાતમાં રામભક્તોએ શેરીએ શેરીએ ફટાકડા ફોડ્યા, અમરેલીમા વિહિપ કાર્યાલયનુ ભૂમિ પૂજન ક
રામ જન્મભૂમિના શિલાન્યાસ કાર્યક્રમ માટે દરેક ભારતીય ખુશ છે. કોરોનાકાળમાં પહેલીવાર ભારતીય મોટા આ ખુશીની ક્ષણ આવી છે. સાથે જ આ એક ગર્વ લેવાની ઘટના પણ છે. તેથી લોકો અલગ અલગ રીતે તેની ઉજવણી કરી રહ્યાં છે. ગુજરાતભરમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં રામમંદિર (Ram Mandir) ભૂમિપુજન અવસરને પગલે ઉત્સવનો માહોલ જોવા મળ્યો. વિશ્વખ્યાત શ્રી બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ છે. બાલાહનુમાન મંદિરના પટાંગણમાં રામ ભક્તોએ ફટાકડા ફોડ્યા હતા. બાલા હનુમાન મંદિરે શ્રીરામ જય રામ જય જય રામની અખંડ રામધૂન બોલાવી હતી. તો સાથે જ બાલા હનુમાન મંદિર ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન પણ કરાયું હતું. ભગવાન શ્રીરામની ભક્તિમાં રામભક્તો લીન થતાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. મહાનુભાવો દ્વારા કાર સેવકોનુ સન્માન પણ કરવામાં આવ્યું.
Aug 5,2020, 13:36 PM IST
500 વર્ષના સંઘર્ષ બાદની ઐતિહાસિક ક્ષણ, VHP-બજરંગદળ દ્વારા મહાઆરતી અને આતશબાજી કરાઈ  
અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર શિલાન્યાસનો દિવસ સમગ્ર દેશ માટે દિવાળી સમાન છે. અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) ના ભૂમિપૂજનને લઈને દેશભરમા અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીએ લોકોમાં આ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે અમદાવાદ સ્થિતિ ઉસ્માનપુરામાં મહાઆરતી અને આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. VHP અને બજરંગદળ દ્વારા ભવ્ય મહાઆરતી અને આતશબાજી કરાશે. અહીં નાનાથી લઈ મોટા આજે રામ રંગમાં રંગાયા છે. 500 વર્ષના સંઘર્ષ બાદ આજનો દિવસ સૌ માટે ઐતિહાસિક બન્યો છે. પાલડી વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય ખાતે ભૂમિપૂજનની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયને શણગારવામાં આવ્યું છે .
Aug 5,2020, 12:58 PM IST
અયોધ્યા આગમનથી લઈને વિદાય સુધી, PM મોદીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ વિશે જાણો 
અયોધ્યા (Ayodhya) માં રામ મંદિરના નિર્માણની શુભ ઘડી આવી ગઈ છે. આવતી કાલે રામ મંદિરનો શિલાન્યાસ સમારોહ થશે. ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી (PM Narendra Modi)  રામ મંદિરના પાયામાં ઈંટ મૂકશે. આ બધા વચ્ચે અયોધ્યામાં એસપીજીએ સુરક્ષા મોરચો સંભાળી લીધો છે. અયોધ્યાની સરહદ સીલ થઈ છે. 5 ઓગસ્ટ સુધી બહારના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. સ્થાનિક રહીશોએ ઓળખપત્ર રાખવું જરૂરી છે. અયોધ્યામાં આજે રામ મંદિરના ભૂમિ પૂજન અગાઉ હનુમાનગઢીમાં નિશાન પૂજા કરવામાં આવી. નિશાન પૂજા દ્વારા હનુમાનજી પાસે મંદિર નિર્માણની મંજૂરી લેવામાં આવી. રામ મંદિર નિર્માણમાં હનુમાનગઢીની નિશાન પૂજાનું ખુબ મહત્વ છે. 
Aug 4,2020, 13:25 PM IST

Trending news