Ashish shelar News

'આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામ પર શપથ લીધા, આ બાળાસાહેબની શિવસેના નથી'
શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ તરફથી મુંબઈની હોટલ ગ્રેન્ડ હયાતમાં કરાયેલા 162 ધારાસભ્યોના શક્તિ પ્રદર્શન પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે. ભાજપના ધારાસભ્ય આશીષ શેલારે કહ્યું કે ઓળખ પરેડ આરોપી વ્યક્તિઓના મામલે થાય છે. ચૂંટાઈ આવેલા ધારાસભ્યોના મામલે નહીં. આ ધારાસભ્યો અને તે લોકોનું અપમાન છે જેમણે તેમને ચૂંટ્યા છે. શેલારે ધારાસભ્યોની 162 હોવાની સંખ્યા ઉપર પણ સવાલ ઉઠાવ્યાં. તેમણે કહ્યું કે હું તો કહું છું કે હોટલમાં બહુમતનો આંકડો 145 ધારાસભ્યો પણ નહતાં. કારણ કે કોઈએ એક-એક વિધાયકની ગણતરી કરી નથી. મહારાષ્ટ્રના બાન્દ્રા પશ્ચિમથી ધારાસભ્ય આશીષ શેલારે કહ્યું કે આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામના શપથ લીધા છે, તે બાળાસાહેબની શિવસેના નથી. 
Nov 25,2019, 22:55 PM IST

Trending news