યુક્રેને યુદ્ધ રોકવા માટે ભારત પાસે માંગી મદદ, PM મોદી આજે રશિયા અને યુક્રેન બંન્ને દેશોના રાષ્ટ્રપતિ સાથે કરશે વાત

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ આકરા પ્રતિબંધો છતાં રશિયાના હુમલાઓ તેજ થઈ રહ્યા છે.હાલ રશિયન સેના યુક્રેનના રહેણાંક વિસ્તારોને સતત નિશાન બનાવી રહી છે, જેના કારણે દુનિયાભરના દેશો લોકોને બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રશિયાએ યુક્રેનમાં બીજી વખત સીઝફાયરની જાહેરાત કરી, ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હ્યુમન કોરિડોર બનાવાશે

યુક્રેને યુદ્ધ રોકવા માટે ભારત પાસે માંગી મદદ, PM મોદી આજે રશિયા અને યુક્રેન બંન્ને દેશોના રાષ્ટ્રપતિ સાથે કરશે વાત

નવી દિલ્લીઃ ભારત અને રશિયાની મિત્રતા વર્ષો જૂની છે. હાલ જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારે સૌ કોઈની નજર ભારત પર છે. ભારતના કેટલાંય વિદ્યાર્થીઓ અને નાગરિકો હાલ યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલાં છે. પરંતુ ભારત સાથેના સંબંધોને કારણે રશિયા યુદ્ધ દરમિયાન પણ ભારતીય નાગરિકોને સાચવીને સ્વદેશ પરત ફરવા દઈ રહ્યું છે. આ સ્થિતિ જોઈને યુક્રેને ભારત પાસે મદદની માંગણી કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ ભારતના પ્રધાનમંત્રી પાસે યુદ્ધ રોકાવવા માટે મદદ માંગી છે. જે સંદર્ભમાં પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવાના છે. રશિયાએ યુક્રેનમાં બીજી વખત સીઝફાયરની જાહેરાત કરી, ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હ્યુમન કોરિડોર બનાવાશે.

 

— ANI (@ANI) March 7, 2022

 

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ આકરા પ્રતિબંધો છતાં રશિયાના હુમલાઓ તેજ થઈ રહ્યા છે.હાલ રશિયન સેના યુક્રેનના રહેણાંક વિસ્તારોને સતત નિશાન બનાવી રહી છે, જેના કારણે દુનિયાભરના દેશો લોકોને બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરશે.સમાચાર એજન્સી ANIએ સરકારી સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે. આજે રશિયાએ સમગ્ર યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી છે. આ સીઝફાયર 12.30 વાગ્યાથી શરૂ થશે. આ દરમિયાન યુદ્ધ વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હ્યુમન કોરિડોર બનાવવામાં આવશે. આ બીજી વખત છે જ્યારે રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અગાઉ બે શહેરોમાં સીઝફાયર કરવામાં આવ્યું હતુ. જો કે રશિયાએ તેને થોડા કલાકોમાં સમાપ્ત કરી દીધું અને બોમ્બમારો શરૂ કરી દીધો હતો.

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. જે બાદ પીએમ મોદીએ 26 ફેબ્રુઆરીએ પહેલીવાર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી.તમને જણાવી દઈએ કે, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનથી પોતાને દૂર રાખ્યા છે. જેના કારણે ઝેલેન્સકીએ PMને કહ્યું કે ભારતે યુએન સુરક્ષા પરિષદમાં યુક્રેનનું સમર્થન કરવું જોઈએ. જો કે ભારત આ મામલે કોઈ એક પક્ષને સમર્થન આપવાનું ટાળી રહ્યું છે. તેમણે યુદ્ધના ઉકેલ માટે કૂટનીતિને જરૂરી ગણાવી છે. ભારતે યુક્રેન યુદ્ધની નિંદા કરી છે, સાથે જ રશિયા વિરુદ્ધ મતદાન કરવાથી પણ દૂરી બનાવી છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકાર પણ તમામ પ્રયાસો કરી રહી છે. આ માટે ઓપરેશન ગંગા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેથી કરીને લોકોને યુદ્ધગ્રસ્ત દેશમાંથી પાછા લાવી શકાય. નાગરિકો સુરક્ષિત રીતે પરત આવે તે માટે સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો હતો. આ સાથે, વિદેશ મંત્રાલયે યુદ્ધવિરામ માટે પણ વિનંતી કરી છે.

આ પહેલા ઈઝરાયેલના પ્રધાનમંત્રી નફતાલી બેનેટે રવિવારે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલા વચ્ચે બંને નેતાઓએ એક દિવસ પહેલા મોસ્કોમાં વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, બેનેટે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ ફોન પર વાત કરી હતી.તમને જણાવી દઈએ કે, બેનેટે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે મધ્યસ્થતાના પગલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર ઘણી વખત વાત કરી છ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news