Agriculture News પ્રેમલ ત્રિવેદી/પાટણ : આજે આપણે મળીશું પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ એક યોદ્ધાને. જેમનું નામ છે નિલેશ રાજગોર. સૃષ્ટિ સંરક્ષણ જ જેમના જીવનનું ધ્યેય છે તેવા નિલેશભાઈએ 2015થી વૃક્ષ વાવેતરની લોકઝુંબેશ આદરી છે. આઠ લાખથી વધુ વૃક્ષ –વાવી ચૂકેલા નિલેશભાઈ એ “વ્યક્તિ-શક્તિ”નું જીવતું જાગતું ઉદાહરણ છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીન કમાન્ડો નિલેશ રાજગોરને..તે પાટણ જિલ્લાના કુણઘેર ગામના છે. પર્યાવરણ સંરક્ષણની   લડતના આ પ્રતિબદ્ધ સૈનિકે અત્યારસુધીમાં તેમના વિસ્તારમાં આઠ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. 2015થી આ ઝુંબેશ શરુ નિલેશભાઈ આજે અનેક લોકોનો તે પ્રેરણા-સ્ત્રોત બન્યા છે. નિલેશભાઈના આ પ્રયાસોના પગલે ગ્રીન ફૂટપ્રિન્ટમાં વૃદ્ધિ થઈ છે તેમ જ ટકાઉ વિકાસને વેગ મળ્યો છે. નિલેશભાઈની આ પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમનો - પર્યાવરણ- પ્રેમ     


Vitamin B12 ની અછતથી આવી શકે છે મોત, દર બીજો ગુજરાતી આ સમસ્યાથી પીડાય છે


નિલેશભાઈની આ ઝુંબેશનું મહત્વનું પાસું  છે જનભાગીદારી.  તેમણે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોને વૃક્ષ-ઉછેર માટેની શપથ લેવડાવી છે.પર્યાવરણ સંરક્ષણના આ ઉત્કૃષ્ટ પ્રદાન નિલેશભાઈ અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. વર્ષ 2021-22માં તેમને ક્લાયમેટ ચેન્જ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. 



ભાવિ પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઉભી કરવી એ નિલેશભાઈનો ધ્યેય-મંત્ર છે. આ ધ્યેય–મંત્રને સિદ્ધ કરવા માટે તે શાળા કોલેજોમાં સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે. નિલેશભાઈ પર્યાવરણ સંરક્ષણ માટે વિદ્યાર્થીઓ ઉપરાંત સરકારી અધિકારીઓનો પણ સહયોગ પ્રાપ્ત કરે છે. 


પાટણ જિલ્લાના આ પ્રકૃતિપ્રેમીના પ્રયાસો થકી પાટણ જિલ્લાને હરિયાળો બનાવ્યો છે અને ક્લાયમેટ ચેન્જ સામેની લડાઈ લડવા માટેની પ્રેરણા પૂરી પાડી છે. 


આ છે મોદી સરકારના ફુલગુલાબી બજેટની 15 મોટી જાહેરાતો, આજથી બદલાઈ જશે