Bharat Rice: કેન્દ્ર સરકાર તરફથી દેશભરના લોકોને સસ્તા ચોખા મળશે. સરકાર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાથી ભારત ચોખાનું વેચાણ શરૂ કરી શકે છે. સરકાર ભારત ચોખા દ્વારા લોકોને રાહત દરે ચોખા આપશે. આ ચોખાની કિંમત 29 રૂપિયા પ્રતિ કિલો સુધી હોઈ શકે છે. આ ચોખા દેશભરમાં તમામ કોર્પોરેટ સ્ટોર્સ અને મોટી રિટેલ ચેન દ્વારા ઉપલબ્ધ થશે. તેનાથી સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળશે. થોડા દિવસો પહેલા નાફેડે ટ્વીટ કર્યું હતું કે ભારત ચોખા ટૂંક સમયમાં તમારી પ્લેટમાં ઉપલબ્ધ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાંથી ખરીદી શકશો સસ્તા ચોખા?
'Bharat Chawal'નું વેચાણ સરકારી એજન્સીઓ જેમ કે NAFED, નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) અને કેન્દ્રીય ભંડાર જેવા કેન્દ્રીય સ્ટોર્સ દ્વારા કરવામાં આવશે. આ સમયે લોકોને સસ્તા દાળની સાથે સસ્તો લોટ પણ મળી રહ્યો છે.


દાળ અને સસ્તા ભાવ પર મળી રહ્યો છે લોટ
ભારત ઘઉંનો લોટ અને ચણાની દાળ ડિસ્કાઉન્ટ ભાવે 27.50 રૂપિયા પ્રતિ કિલો અને 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ઘઉંનો લોટ અને ચલા દાળ 2000 થી વધુ રિટેલ પોઈન્ટ પર વેચાઈ રહી છે. દાળ બાદ હવે સરકારનું પગલું રિટેલમાં ચોખાના ભાવના માર્જિનની સમીક્ષા કરવાનું છે. સરકારે ચોખાના વધતા ભાવ અંગે વેપારીઓને ચેતવણી પણ આપી છે.


નવેમ્બરમાં લોન્ચ કર્યો હતો લોટ
દેશમાં વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે સરકારે ભારત બ્રાન્ડ હેઠળ સસ્તા લોટ, દાળ, સસ્તા ડુંગળી અને ટામેટાંનું વેચાણ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા 6 નવેમ્બર 2023 ના રોજ 'ભારત લોટ' લોન્ચ કર્યો હતો, જ્યાં દેશમાં લોટની સરેરાશ કિંમત 35 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે તમને 27.50 રૂપિયામાં લોટ મળી રહ્યો છે. અગાઉ ડુંગળી અને ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા હતા ત્યારે સરકારે લોકોને બજાર કરતા ઓછા ભાવે ડુંગળી અને ટામેટાં આપ્યા છે. 


નોંધનીય છે કે ખાદ્ય મોંઘવારી દર નવેમ્બરમાં 8.70% પર પહોંચી ગયો હતો. જ્યારે રિટેલ મોંઘવારી દર 5.55% પર પહોંચી ગયો છે.