નવી દિલ્હીઃ 7th Pay Commission DA Hike: સરકાર જલ્દી દેશના લાખો કર્મચારીઓને ભેટ આપવાની છે. સરકાર મોંઘવારી ભથ્થા (Dearness Allowance- DA) માં ચાર ટકાનો વધારો કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરના અંતમાં યોજાનારી બેઠકમાં આ પ્રસ્તાવ કેબિનેટમાં રાખવામાં આવશે. તેના પર મહોર લાગતા દુર્ગા પૂજા પહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
મોદી સરકાર એક કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની ભેટ આપશે. ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થઈ જશે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. 


AICPI ના આંકડા જાહેર
અત્યાર સુધી ઓગસ્ટ 2023 સુધીના AICPI ના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. જુલાઈ 2023 સુધી જાહેર આંકડા પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. 50 ટકા મોંઘવારી ભથ્થાની સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓના બેસિક પગારમાં એકવાર ફરી રિવીઝન કરવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં 46 ટકાના વધારાથી કર્મચારીઓના પગારમાં વધુમાં વધુ 22000 રૂપિયા સુધીનો વધારો થશે. સાતમાં પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું 4 ટકાના દરે વધારી શકાશે. માનવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરના અંતમાં મોંઘવારી ભથ્થામાં વધારાનો આદેશ જાહેર થઈ શકે છે. તેવામાં તહેવાર પહેલા તેને એક ભેટ મળશે. 


આ પણ વાંચોઃ ગુજરાતીએ બાળકોને પેન્સિલ અને રબર વેચીને બનાવી દીધી 4 હજાર કરોડ રૂપિયાની કંપની


સાથે મળશે ડીએ એરિયર
આશા છે કે સપ્ટેમ્બરમાં ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. ત્યારબાદ કર્મચારીઓનું ડીએ 46 ટકા થઈ જશે. તેને 1 જુલાઈ 2023થી લાગૂ કરવામાં આવશે. તેવામાં 2 મહિનાનું એરિયર પણ આપવામાં આવશે. તેનાથી 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો થશે. આ પહેલા માર્ચ 2023માં ડીએ વધારી 42 ટકા કરવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube