નવી દિલ્હીઃ કોરોના મહામારી (Corona Pandemic) એ ફરી હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો છે. દેશમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો (International Passenger Flights) પર લાગેલો પ્રતિબંધ વધારી દીધો છે. હવે આ પ્રતિબંધ 30 એપ્રિલ 2021 સુધી અમલમાં રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા આ પ્રતિબંધ 31 માર્ચ સુધી હતો, પરંતુ હવે તેને એક મહિના માટે વધારી દેવામાં આવ્યો છે. પરંતુ આ પ્રતિબંધ માલ વાહક વિમાનો  (Cargo Operations) અને DGCA ની મંજૂરીથી ચલાવવામાં આવતી ઉડાનો પર લાગૂ થશે નહીં. 


પેટ્રોલ-ડીઝલની કિંમતોને GST હેઠળ લાવવાની તૈયારી! નાણામંત્રી બોલ્યા- અમે ચર્ચા માટે તૈયાર


આ નિર્ણય બાદ દેશમાં 30 એપ્રિલ સુધી નહીં ચાલે કોઈ કોમર્શિયલ ફ્લાઇટ
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભારતથી બહાર જશે નહીં અને ન બીજા દેશમાંથી કોઈ ફ્લાઇટ ભારત આવશે. પરંતુ આ દરમિયાન વંદે ભારત મિશન (Vande Bharat Mission) હેઠળ જારી વિશેષ ઉડાનો પહેલાની જેમ યથાવત રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube