નવી દિલ્હી: બજેટ 2020 (Budget 2020) પાસે દરેક સેક્ટરના લોકો આશા માંડીને બેઠ્યા છે. મોદી સરકારમાં ગત ત્રણ-ચાર વર્ષના બજેટ ભાષણ પર નજર કરીએ તો ખબર પડે છે કે આ સરકાર ઇંશ્યોરન્સ અને સ્કીમને મહત્વ આપી રહી છે. તેને ધ્યાનમાં રાખતાં અમારી સહયોગી ન્યૂ ચેનલ ZEE બિઝનેસને CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ સાથે વાત કરી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવીન ખંડેલવાલે કહ્યું કે પેંશનની જાહેરાત સારી છે, પરંતુ એજના બ્રેકેટને વધારવું જોઇએ. 20 વર્ષ પછી ફક્ત Rs 3000નું પેન્શન મૂલ્ય ખૂબ વધુ હશે. પેન્શનના પેઆઉટને વધારવા વિશે વિચારવું જોઇએ. તેમણે કહ્યું કે નાના વેપારીઓ $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વેપારીઓને લોન સરળતાથી પ્રાપ્ત થશે. તેનાપર કોઇ એલાન થવી જોઇએ. 


પ્રવીણે કહ્યું કે બજેટ 2020 (Budget 2020)માં સરકારે મોબાઇલ છુટક વેપારીઓને ઇ-કોમર્સ કંપનીઓથી બચવા માટે જાહેરાત કરવી જોઇએ. મોબાઇલ છુટક વેપારીઓને એક નવો દરજ્જો આપવો જોઇએ. ઇનકમ ટેક્સના સ્લેબને રિવર્સ કરવો જોઇએ.


તેમણ કહ્યું કે EMI, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ચાર્જ જે દુકાનદારોને આપવો પડે છે, તેને ઓછો કરવામાં આવે અથવા દૂર કરવામાં આવે. સરળતાથી અને ઓછા દર પર લોન મળવી જોઇએ. ડિમાન્ડ વધારવા માટે કોઇ એલાન કરવું જોઇએ. ઇ-કોમર્સ કંપનીઓનું ડિસ્કોલઉન્ટ ઓછું કરવા માટે કેટલીક જાહેરાત કરવી જોઇએ. નાના વેપારી માટે નોર્મ્સને બદલવા જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube