નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેશન (CBDT) એ એવા કરદાતાઓને મોટી રાહત આપી છે જેમણે હજુ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા નથી. CBDT એ માહિતી આપી હતી કે એસેસમેન્ટ વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, "એસેસમેન્ટ વર્ષ 2021-2022 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અગાઉ 31 જુલાઈ હતી. તે પહેલા 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હવે ફરી એક વખત આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર, 2021 કરી દેવામાં આવી છે." આનો અર્થ એ થયો કે હવે તમે 31 ડિસેમ્બર સુધી ITR ફાઇલ કરી શકો છો.


દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને મોટી રાહત, દિલ્હી મેટ્રોએ આપવા પડશે 4600 કરોડ રૂપિયા  


જો કે, આવકવેરા વિભાગનું કહેવું છે કે નવા ITR પોર્ટલ પર ઘણા ટેક્નિકલ મુદ્દાઓ ઉકેલાયા છે. વિભાગ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધીમાં 1.19 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. વિભાગના નિવેદન અનુસાર, 7 સપ્ટેમ્બર સુધી 8.83 કરોડ ચોક્કસ કરદાતાઓ પોર્ટલ પર 'લોગ ઇન' થયા હતા. સપ્ટેમ્બરમાં દરરોજ સરેરાશ 15.55 લાખ કરદાતાઓ પોર્ટલ પર 'લોગ ઇન' થયા છે. આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર 2021 માં દૈનિક ધોરણે આવકવેરા રિટર્ન ફાઈલિંગ 3.2 લાખ સુધી પહોંચી ગયું છે.


67,400 કરોડનું રિફંડ: દરમિયાન, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં આવકવેરા વિભાગે 67 હજાર કરોડ રૂપિયાથી વધુના ટેક્સ રિફંડ જારી કર્યા છે. તાજેતરમાં, આઈટી વિભાગે કહ્યું હતું કે 1 એપ્રિલ, 2021 થી 30 ઓગસ્ટ, 2021 દરમિયાન, 23.99 લાખ કરદાતાઓને 67,401 કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ આપવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube