EPF withdrawal Rule Change: નોકરીયાત લોકો માટે ઘડપણનો સહારો તેમની પેન્શન હોય છે. દર મહિને તમારા પગારમાંથી કપાતા ફંડ રિટાયરમેન્ટ બાદ મોટી રકમ બની જાય છે. આ ફંડની દેખરેખ રાખનાર સરકારી સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ફંડ ઉપાડવાના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. EPFO એ EPF ને એડવાન્સ  કાઢવાના નિયમમાં ફેરફાર કર્યો છે. EPFO એ તત્કાલ પ્રભાવથી કોવિડ 19 એડવાન્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા


બદલાઈ ગયો પૈસા ઉપાડવાનો નિયમ
EPFO એ કરોડો પીએફ સબ્સક્રાઈબર્સ માટે મોટો ફેરફાર કર્યો છે. EPFO એ કોવિડ એડવાન્સ ફેસલિટીને હવે બંધ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી દરમિયાન આ સુવિધાની શરૂઆ કરવામાં આવી હતી. કોરોના મહામારીના સમયે EPFO તરફથી ખાતાધારકોને પોતાના પીએફ એકાઉન્ટમાંથી એડવાન્સ તરીકે અમુક રકમ ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી. જે હવે બંધ કરી દેવામાં આવી છે. 12 જૂન, 2024ના રોજ એક નોટિફિકેશન જાહેર કરીને તમામને જાણકારી આપવામાં આવી છે. નોટિફિકેશન મતે કોવિડ 19 હવે મહામારી નથી, એટલા માટે એડવાન્સ નિકાસી સેવાને ત્કા પ્રભાવથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


શું અમદાવાદના આ વિસ્તારોમાં બંધ થઈ જશે નોનવેજની દુકાનો? AMCની બેઠકમાં ચર્ચા


શું હતી સુવિધા
કર્મચારી ભવિષ્ય નિધિના ખાતાધારકોને કોવિડ 19 મહામારી દરમિયાન એડવાન્સ રૂપિયા ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી. લોકોને આર્થિક મદદ કરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા હેઠળ પીએફ અંશધારક પોતાના પીએફ એકાઉન્ટમાંથી બે વખત પૈસા ઉપાડી શકતા હતા. કોરોનાની પહેલી લહેર દરમિયાન અંશધારકોને એક નોન રિફંડેબલ એડવાન્સ રકમ ઉપાડવાની સુવિધા મળી હતી. ત્યારબાદ કોરોનાની બીજી લહેર દરમિયાન 31 મે, 2021 એકવાર ફરીથી એડવાન્સ વિડ્રોલની અનુમતિ આપવામાં આવી હતી. મહામારી દરમિયાન બે કરોડથી વધારે સબ્સક્રાઈબર્સે આ સુવિધાનો લાભ ઉઠાવ્યો હતો.


ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?


ક્યારે ક્યારે ઉપાડી શકો છો પૈસા
અંશધારક પોતાના પીએફ એકાઉન્ટમાંથી એડવાન્સ પૈસા કાઢી શકે છે. મેચ્યોરિટી પહેલા તમે પોતાના પીએફ એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકે છે. તમે ઈચ્છો તો ઘર કે જમીન ખરીદવા, ઘરને રિપેર કરાવવા, હોમ લોન ભરાવવા, ફેમિલીના સભ્યો કે પોતાના લગ્ન, બાળકોના અભ્યાસ વગેરે જેવી જરૂરિયાતો માટે પૈસા કાઢી શકે છે.


આગામી 6 દિવસ ગુજરાતના આ જિલ્લાઓ સાવધાન! કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે!