કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સોમવારે સવારે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રીને સોમવારે બપોરે 12 વાગ્યે એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. 63 વર્ષીય સીતારમણને સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા છે.


અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ નાણામંત્રી નિર્મલા સીતારમણને એમ્સમાં રૂટિન ચેકઅપ માટે દાખલ કરાયા છે. તેમને પેટમાં હળવું ઈન્ફેક્શન હોવાનું કહેવાય છે. જલદી હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube