નવી દિલ્હી: દેશમાં ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષે કિસાન રેલ (Kisan Rail) શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે આ જાહેરાતને ફાઇનલ ટચ આપતાં ભારતીય રેલવે (Indian Railways)એ 7 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી કિસાન રેલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા સેવામાં દેશના ઘણા રાજ્યોના ખેડૂતોને સીધો ફાયદો મળવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રાથી બિહાર વચ્ચે દોડશે પ્રથમ કિસાન રેલ સેવા
જાણકારોનું કહેવું છે કે કિસાન રેલની શરૂઆત મહારાષ્ટ્રથી બિહાર વચ્ચે થઇ રહી છે. ભારતીય રેલવેએ પહેલી કિસાન રેલને મહારાષ્ટ્રના દેવલાલી રેલવે સ્ટેશન (Devlali Railway Station)થી બિહાર સ્થિત દાનાપુર રેલવે સ્ટેશન (Danapur Railway Station) સુધી ચલાવવાનો નિર્ણય કર્યો છે. 7 ઓગસ્ટના રોજ પહેલી કિસાન રેલ (First Kisan Rail) દેવલાલીથી દાનપુર પહોંચશે. કિસાન રેલ આ બે સ્ટેશનો વચ્ચે લગભગ 1519 કિમીનું અંતર લગભગ 32 કલાકમાં કાપશે. 


આ હશે કિસાન રેલનો રૂટ
દેવલાલી- નાસિક રોડ, મનમાડ, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર, ખંડવા, ઇટારસી, જબલપુર, સતના, કટની, માનિકપુર, પ્રયાગરાજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અને બક્સ રોકાશે. કુલ મળીને આ પહેલાં રૂટમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને ફાયદો મળવાનો છે. 


ઉલ્લેખનીય છે કે આ વર્ષે યૂનિયન બજેટ (Union Budget)માં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ ખેડૂતો માટે ખાસ કિસાન રેલ દોડવાવાની જાહેરાત કરી હતી. જોકે કિસાન રેલ એક પ્રકારની સ્પેશિયલ પાર્સલ ટ્રેન હશે જેમાં અનાજ, ફળ અને શાકભાજીને લઇ જવા ઉપયોગમાં લઇ શકાશે.


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube