ભારતીય શરાફા બજારમાં આજે એટલે કે ગુરુવારે સોના ચાંદીની ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના  ભાવમાં જો કે હજુ પણ 60 હજારને પાર ચે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડા છતાં 74000 રૂપિયાની આસપાસ પ્રતિ કિલો છે. 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગઈ કાલે 60431 પર બંધ થયો હતો જે આજે 60382 જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના ચાંદીનો લેટસ્ટ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 26મી એપ્રિલના રોજ શુદ્ધ સોનાનો ભાવ 10 ગ્રામના 60431 પર બંધ થયો હતો જ્યારે આજે 49 રૂપિયાના ઘટાડા સાથે 60382 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 49 રૂપિયાના ઘટાડા સાથે 60140 ના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું સોનું 45 રૂપિયાના કડાકા સાથે 55310 રૂપિયાના સ્તરે છે. 750 પ્યોરિટીવાળું સોનું 36 રૂપિયાના ઘટાડા સાથે 45287 ના ભાવે વેચાઈ રહ્યુ છે. 585 શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું 28 રૂપિયાના કડાકા સાથે 35324 ના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો 21 રૂપિયાના ઘટાડા સાથે એક કિલોના 74179 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે શરાફા બજાર ખુલ્યું ત્યારે ભાવ તેજીમાં હતા પછી સતત ઘટતા ગયા અને તે આજે પણ ઘટેલા જોવા મળી રહ્યા છે. 



(સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે છે અને ચાંદીનો  ભાવ પ્રતિ કિલો છે)


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


સરકારી કર્મચારીઓ આનંદો...સરકારે બહાર પાડી નવી લીવ પોલીસી, જાણો કેટલી રજા મળશે


Driving License: હવે આ 30 ડોક્યુમેન્ટમાંથી ગમે તે એક હશે તો પણ બની જશે DL


સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ, ફરી આટલું વધી શકે છે DA, પગારમાં થશે બંપર વધારો


24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube