આસામમાં રાજ્ય સરકારે ચાના બગીચાઓના કામ કરનાર 7 લાખથી વધુ શ્રમિકોના બેંક ખાતાઓમાં અઢી-અઢી હજાર રૂપિયા જમા કરવાના નિર્ણયની જાહેરાત કરી. આ રકમ તે ખાતાઓમાં જમા કરાવવામાં આવશે જે બે વર્ષ પહેલાં નોટબંધી બાદ પહેલાં ખોલવામાં આવ્યા છે. સરકારે બજેટ 2017-18 માં એવા ખાતાઓમાં પ્રોત્સાહનના રૂપમાં 5000 રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી હતી. તે તેમનો બીજો હપ્તો છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રાહકોને આ 8 મહત્વપૂર્ણ વાતોનો ઉઘાડ પાડતી નથી બેંક, અજાણ રહેશો તો થશે નુકસાન


અસમના નાણા મંત્રી હેમંત વિશ્વ શર્માએ કહ્યું કે 'સરકારે આ યોજનાના બીજા ભાગને જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પહેલીવાર બધા લાભાર્થીઓને તેમના બેંક એકાઉન્ટમાં 12 જાન્યુઆરી 2019 સુધી બીજા હપ્તાની રકમ મળી જશે. 

HDFC બેંકની આ સ્કીમ ગ્રાહકને આપે છે ઇચ્છાનુસાર EMI નો વિકલ્પ


અસમ સરકારે પહેલા તબક્કામાં 26 જિલ્લાઓમાં 752 બગીચાઓના 7,21,485 મજૂરોના ખાતાઓમાં 25-2500 રૂપિયા જમા કરાવ્યા હતા. પહેલા તબક્કામાં આ યોજના પર 182 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ 8 નવેમ્બર 2016 ના રોજ તે સમયે ચલણમાં 1000 અને 500 ની નોટોને ચલણમાં દૂર કરવાની જાહેરાત કરી હતી.