નવી દિલ્હીઃ સરકારે કોરોના વાયરસના સંકટને જોતા લોક ભવિષ્ય નિધિ (પીપીએફ), રિકરિંગ ડિપોઝિટ (આરડી) તથા સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાધારકો માટે ફરજીયાત ન્યૂનતમ થાપણની સમયમર્યાદા ત્રણ મહિના માટે વધારી દીધી છે. નાણામંત્રાલયે શનિવારે ટ્વીટર પર તેની જાણકારી આપી હતી. હવે પીપીએફ, આરડી અને સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 2019-2020ની ફરજીયાત ન્યૂનતમ થાપણને 30 જૂન સુધી જમા કરાવી શકાશે. 


નાણામંત્રાલયે ટ્વીટમાં કહ્યું, સરકારે કોરોના વાયરસના સંક્રમણ પર નિરારણ માટે દેશમાં લાગૂ લૉકડાઉનને જોતા નાની બચત કરનાર જમાકર્તાઓના હિતોની રક્ષા માટે પીપીએફ, આરડી તથા સુકન્યા સમૃદ્ધિ ખાતાધારકો માટે જોગવાઈમાં છૂટછાટ આપી છે. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube